________________
શંકા : પણ વિભાગનિરૂપિત અવધિત્વ અને વિભાગાશ્રયત્વ, બંને એક જ છે
ને ? સમાધાન : ના. વિભાગનું આશ્રય, સમવાય સંબંધથી અવચ્છિન્ન હોય છે...
અવધિત્વ સમવાયસંબંધથી અવચ્છિન્ન નથી હોતું... તે એક વિશેષ સ્વરૂપ સંબંધ જ છે...
अत्र क्षरणान्वयिनः परसमवेतत्वस्य द्वितीयार्थत्वात् पयोनिष्ठक्षरणस्य पयोनिष्ठविभागजनकत्वेपि न 'पयः पयो दोग्धि' इति प्रयोगः । परत्वं च विभागान्वयितावच्छेदकावच्छिन्नापेक्षया बोध्यम् । દૂધમાં રહેલ ક્ષરણ, દૂધમાં પણ વિભાગનું જનક બને છે, છતાં, ક્ષરણમાં અન્વયી એવું પરમતત્વ પણ દ્વિતીયાર્થ છે અને એટલે પયઃ પો. રોધ એવો પ્રયોગ નથી થતો.
પરત્વ, વિભાગાન્વયિતાવચ્છેદકાવચ્છિન્નની અપેક્ષાએ જાણવું. વિવેચનઃ પૂર્વપક્ષ નાં ધ પયઃ માં દુદ્દે ધાત્વર્થ વિભાગજનક ક્ષરણાનુકૂળ વ્યાપાર,
પયસ પદોત્તર દ્વિતીયાર્થ ક્ષરણાન્વયી આધેયતા અને ગોપદોત્તર દ્વિતીયાર્થ વિભાગાન્વયી આધેયતા કહ્યો. હવે વિભાગ જેમ, ગાયમાં રહ્યો છે, તેમ પયસ્ માં પણ રહ્યો છે. તો પય પદની ઉત્તરમાં પણ વિભાગમાં અન્વયી એવી આધેયતાર્થક દ્વિતીયા થઈ શકવાથી પય: પથો ધિ
એવા પ્રયોગની આપત્તિ આવશે. ઉત્તરપક્ષ: દ્વિતીયાર્થ જેમ આધેયતા છે. તેમ પરસમવેતત્વ પણ છે. જેનો અન્વય
ક્રિયામાં (પ્રસ્તુતમાં ક્ષરણ)માં થાય છે. અર્થાત ક્રિયા પરસમવેત હોવી જોઈએ. એટલે કે દ્વિતીયાના પ્રકૃત્યર્થથી પર (= ભિન્ન)માં સમવેત હોવી જોઈએ. જેમ કે, “વૈa: પ્રામં છત’ સ્થળે ગ્રામ પદોત્તર દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય ધાત્વર્થતાવચ્છેદક સંયોગમાં થાય છે. સંયોગ જેમ ગ્રામમાં છે, તેમ ચૈત્રમાં પણ છે. છતાં “ચૈત્ર: પ્રાપં છતિ' પ્રયોગ જ થાય છે. ચૈત્રઃ á છત્ત' પ્રયોગ થતો નથી. તેનું કારણ એ કે ક્રિયા, ચૈત્રમાં જ સમવેત છે, જે દ્વિતીયાના પ્રકૃત્યર્થ (ચૈત્ર) થી ભિન્ન નથી. માટે ચૈત્ર
વ્યુત્પત્તિવાદ * ૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org