________________
પદોત્તર દ્વિતીયાના અર્થ પરસમવેતત્વનો અન્વય ગમનક્રિયામાં થઈ શક્તો નથી અને તેથી ચૈત્ર: ચૈત્રં તિ પ્રયોગ પણ થતો નથી.
તે જ પ્રમાણે અહીં પણ, ક્ષરણક્રિયા પયમાં હોવાથી, ગોભિન્નમાં સમવેત છે. એટલે ગો પદોત્તર દ્વિતીયાના અર્થ પરસમવેતત્વનો અન્વય ક્ષરણક્રિયામાં થઈ શકવાથી મ ોધિ પયઃ પ્રયોગ થશે. પણ પય: પયો ટોપ્તિ એવા અનિષ્ટ પ્રયોગની જે આપત્તિ આપી, તેમાં પયસ્ પદોત્તર દ્વિતીયાના અર્થ પરસમવેતત્વનો અન્વય ક્ષરણકિયામાં થઈ શકશે નહીં, કારણ કે ક્ષરણક્રિયા પયમાં જ સમવેત છે, જે દ્વિતીયાના પ્રકૃત્યર્થ પયસ્થી પર (= ભિન્ન) નથી. એટલે પય: પયો વોધિ એવા અનિષ્ટ પ્રયોગને અવકાશ નથી...
(ટિપ્પણ : જ્યાં દ્વિતીયાનો અર્થ સંયોગ /વિભાગ રૂપ દ્વિષ્ઠ પદાર્થ (કે સંયોગ/વિભાગમાં અન્વયી આધેયતા) છે, ત્યાં જ બે પદોને દ્વિતીયાની આપત્તિ આવતી હોવાથી, એકનો વ્યવચ્છેદ કરવા માટે દ્વિતીયાનો અર્થ પરસમવેતત્વ કરવાનો છે.
એટલે સ્વ ખાનાતિ, સ્ત્ર પતિ વિ. સ્થળોએ દ્વિતીયાનો અર્થ વિષયતા જ છે, પરસમવેતત્ત્વ નહીં. અન્યથા, ત્યાં પણ ધાત્વર્થ જ્ઞાનાદિ, સ્વમાં સમવેત હોવાથી, સ્વ ને દ્વિતીયા નહીં થઈ શકે,
તેમ નાં લોધિ પ્રય: સ્થળે પણ, પયસ્ પદની ઉત્તરમાં રહેલ દ્વિતીયાનો અર્થ ક્ષરણમાં અન્વયી આધેયતા છે. એટલે તેનો અર્થ પણ પરસમવેતત્ત્વ કરવાનો નથી.
ગો પદોત્તર દ્વિતીયા, જેના અર્થ આધેયતાનો અન્વય વિભાગમાં થાય છે, તે દ્વિતીયાનો અર્થ જ પરસમવેતત્ત્વ માનવાનો છે. એ ખ્યાલ રાખવું. વળી ચૈત્ર: ગ્રામં રાચ્છતિ સ્થળે, પરસમવેતત્વનો અન્વય ધાત્વર્થમાં વિશેષ્યભૂત ગમન ક્રિયામાં થાય છે. જ્યારે નાં રોગ્ધિ પય: સ્થળે, ધાત્વર્થમાં વિશેષણભૂત ક્ષરણક્રિયામાં થાય છે. એ તફાવત ધ્યાનમાં લેવો. તેનું કારણ એ છે કે ૬૬ ધાતુ દ્વિકર્મક છે. કે
એજ રીતે મનાં ગ્રામં નયતિ સ્થળે પણ, ગ્રામ પદોત્તર દ્વિતીયાર્થ પરસમવેતત્વનો અન્વય ધાત્વર્થમાં વિશેષણભૂત, અજાનિષ્ઠ ગમનક્રિયામાં કરવાનો છે. એટલે જ, અજામાં સંયોગ હોવા છતાં અનાં ઞનાં નયતિ પ્રયોગ થતો નથી.)
વ્યુત્પત્તિવાદ * ૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org