SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જેગો ધિ પયઃ એવો પ્રયોગ થઈ શકશે. આથી ક્યારે દ્વિતીયા અને ક્યારે પંચમી કરવી તેનો અનિયમ નહીં રહે. વિવેચનઃ એટલે, પૂર્વે કહ્યું તેમ, વ્યાપારાન્વયી વિભાગાર્ચે પંચમી અને ફળાન્વયી વિભાગાથે દ્વિતીયા એવું માનવાની જરૂર નથી રહેતી. દ્વિતીયા હોય તો, દ્વિતીયાર્થ વૃત્તિતા જ કરવો અને વિભાગ ધાત્વર્થ માનવો. પંચમી હોય તો પંચમ્યર્થ વિભાગ કરવો. अथवा 'गोभ्यो दोग्धि पयः' इत्यत्रापि विभागो धात्वर्थतावच्छेदक कोटिप्रविष्ट एव 'वृक्षाद्विभजते' इत्यत्रेवावधित्वरूपापादानत्वविवक्षायां पञ्चमी, आश्रयत्वविवक्षायां च द्वितीया । अवधित्वं चाश्रयत्वादन्यदेव स्वरूपसंबन्धविशेषः । અથવા રોગો ધિ પય: માં પણ, વિભાગ તો ધાત્વર્થતાવચ્છેદક કોટિમાં જ પ્રવિષ્ટ છે. વૃક્ષાવિનિતે ની જેમ, અવધિત્વ રૂપ અપાદાનત્વની વિવક્ષા હોય તો પંચમી થાય. આશ્રયત્વની વિવક્ષા હોય તો દ્વિતીયા થાય. અવધિત્વ એ આશ્રયત્વથી જુદું છે – સ્વરૂપ સંબંધવિશેષ છે. વિવેચન : દ્વિતીયા અને પંચમી સ્થળ, સુત્ ધાત્વર્થ જુદો જુદો ન માનતાં એક જ માને છે – વિભાગજનક – ક્ષરણાનુકૂળવ્યાપાર... પૂર્વપક્ષ: તો પંચમીનો અર્થ શું થશે? ઉત્તરપક્ષ : “વૃક્ષાત્ વિગતે' માં પણ, વિભાગ તો ધાત્વર્થ જ છે, ત્યારે વૃક્ષમાં વિભાગ નિરુપિત અવધિત્વ રૂપ અપાદાનત્વ હોવાથી પંચમી થાય છે. એટલે પંચમ્યર્થ અવધિત્વ થશે- વૃક્ષાવધિવિમાન: એવો અર્થ થશે. તે રીતે ગોગો રોધિ: માં પણ ગો પદને અવધિત્વની વિવક્ષાથી પંચમી જાણવી. પંચમ્યર્થ અવધિત્વ થશે. પ્રકૃત્યર્થ ગાયનો અન્વય વૃત્તિતા સંબંધથી અવધિત્વમાં અને અવધિત્વનો નિરુપકતા સંબંધથી વિભાગમાં અન્વય થશે. જ્યારે ગાયને વિભાગનો અવધિ ન માનતાં, આશ્રય માનો તો દ્વિતીયા થશે અને દ્વિતીયાથે આધેયતા થશે. વ્યુત્પત્તિવાદ % ૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy