SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ધાત્વર્થતાવચ્છેદકકોટિમાં પ્રવિષ્ટમાં જ દ્વિતીયાર્થનો અન્વય થાય છે. ઉદ્દે ધાત્વર્થ ક્ષરણાનુકૂળવ્યાપાર છે. ગો પદોત્તર દ્વિતીયાનો અર્થ વિભાગ છે. જે જનત્વ સંબંધથી ક્ષરણમાં અન્વયી છે. વિભાગમાં, પ્રકૃત્યર્થ ગાયનો આધેયતા સંબંધથી અન્વય થશે. અને ધાત્વર્થતાવચ્છેદક ક્ષરણ રૂપ ફળમાં, પ્રધાનકર્મ ક્ષીરાદિથી અન્વિત દ્વિતીયાર્થ વૃત્તિત્વનો અન્વય થશે. એટલે નાં પડ્યો રોધિ મૈત્ર: વાક્યથી ગોનિષ્ઠવિભાગનુકૂળ, પાયોનિઝરણ- અનુકૂળવ્યાપારકર્તા મૈત્ર એવો બોધ થશે. વિવેચનઃ ધાતુનો મુખ્ય અર્થ વ્યાપાર જ હોય છે, ફળ નહીં. પણ ઉપર (મુદ્દા નં. ૮૫) જે ધાતુપ્રતિપાદ્ય કહ્યું, તેમાં ધાત્વર્થતાવચ્છેદક પણ લેવાનું છે, એટલે ધાતુપ્રતિપાઘથી ધાત્વર્થ અને ધાત્વર્થતાવચ્છેદક ફળ બંને લેવા. એ આશય છે. શેષ સ્પષ્ટ છે. ८८. न च विभागोऽपादानत्वमेवेति तद्विवक्षायां द्वितीयाऽनवकाशेति वाच्यम् પૂર્વપક્ષ: વિભાગ એ અપાદાનરૂપ જ છે. એટલે તેની વિવેક્ષા હોય તો દ્વિતીયા થઈ જ ન શકે. વિવેચનઃ નાં જયો ધમાં ગોપદોત્તર દ્વિતીયાનો અર્થ વિભાગ કર્યો. પૂર્વપક્ષ કહે છે, વિભાગ એટલે જ અપાદાન. એટલે જ્યાં વિભાગની વિવેક્ષા હોય ત્યાં પંચમી જ થાય. દ્વિતીયા નહીં, કારણ કે અપાદાન અર્થમાં પંચમી કરવાનું વ્યાકરણનું સૂત્ર છે. 28. धातुवृत्तिग्रहविशेष्यान्वयिनो विभागस्यैवापादानत्वरूपत्वात्, 'वृक्षात् पर्णं पतति' इत्यादौ स्पन्दरूपविशेष्यांशे एव पञ्चम्यर्थविभागान्वयात् । ઉત્તરપક્ષ ધાતુના વૃત્તિજ્ઞાનમાં જે વિશેષ્ય હોય તેમાં અન્વયી એવો વિભાગ જ અપાદાન છે. વૃક્ષાત્ પર્વ પતિ માં સ્પન્દ રૂપ વિશેષમાં જ પંચમ્યર્થ વિભાગનો અન્વય થાય છે. વિવેચનઃ વૃક્ષાત્ પતંતિમાં પંચમ્યર્થ વિભાગ છે. પત્ ધાત્વર્થ અધઃ સંયોગજનકસ્પદ છે. પંચમ્યર્થ વિભાગનો અન્વય જનકત્વ સંબંધથી સ્પન્દમાં થાય છે, જે ધાત્વર્થમાં વિશેષ્યરૂપ છે. વ્યુત્પત્તિવાદ % ૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy