________________
પૂર્વપક્ષ - પત્ ધાતુનો અર્થ અધઃ સંયોગાવચ્છિન્ન સ્પન્દ નથી, પણ
ગુરુત્વજન્યતાવચ્છેદકજાતિવિશેષાવચ્છિન્ન સ્પન્દ્ર છે. એટલે પત્ ધાતુ ફળાવચ્છિન્નવ્યાપારની બોધક જ ન હોવાથી, તેમાં સકર્મકત્વની આપત્તિ
જ નથી. વિવેચનઃ જે ધાતુ ફળાવચ્છિન્નવ્યાપારની બોધક હોય તે સકર્મક છે, એવું પૂર્વે
(નં. ૫ માં) કહેલું. પત્ ધાતુને અધઃસંયોગવચ્છિન્નસ્પન્દની બોધક માનીએ, તો તેમાં સકર્મકત્વની આપત્તિ આવે. તેના વારણ માટે આશ્રયાનવચ્છિન્નફળાવચ્છિન્નવ્યાપાર બોધક ધાતુને સકર્મક માનવી પડે. તેના બદલે કેટલાક કહે છે કે પત્ ધાતુનો અર્થ, અધઃસંયોગાવચ્છિન્ન સ્પદ છે જ નહીં. ગુરુત્વ એ પતનનું અસાધારણ કારણ છે. એટલે પતન, ગુરુત્વજન્ય હોવાથી પતનમાં રહેલ જાતિ પતનત્વ, ગુરુત્વજન્યતાવચ્છેદક છે. માટે પત્ ધાતુનો અર્થ ગુરુત્વજન્યતાવદજાતિવિશેષાવચ્છિન્ન ક્રિયાને જ માનશું. એટલે તે હવે ફળાવચ્છિન્નવ્યાપારની બોધક જ ન હોવાથી, સકર્મક થવાની આપત્તિ નહીં આવે.
૬૮. तन्न-फलस्य धात्वर्थाघटकत्वे स्पन्दे एव सप्तम्यर्थान्वयस्योपगन्तव्यतया
पर्णादिनिष्ठस्य तस्य भूतलाद्यवृत्तितया 'भूतले पतति' इति
प्रयोगानुपपत्तेः। ઉત્તરપક્ષ ઃ તે બરાબર નથી. કારણ કે અધઃ સંયોગરૂપ ફળ, જો પત્ ધાત્વર્થ ન
હોય, તો સપ્તમી અર્થ વૃત્તિત્વનો અન્વય તમે કહેલ ક્રિયામાં જ કરવો પડશે. અને તે ક્રિયા તો પડી રહેલા પાંદડા વિ. માં જ છે. જમીનમાં
નહીં, અને તો પછી મૂતજો પતિ એવો પ્રયોગ થઈ નહીં શકે. વિવેચનઃ “પૂર્ણ ભૂતને પતિ' આવા વાક્યનો અર્થ વિચારીએ. પત્ ધાત્વર્થ અધઃ
સંયોગાવચ્છિન્ન સ્પન્દ છે. ભૂતલોત્તર સપ્તમીનો અર્થ આધેયતા છે. જેનો અન્વય અધઃસંયોગ સાથે થાય છે. એટલે ‘મૂતવૃત્તિઅધઃસંયોગનરૂદ્રવત્ પf' એવો અર્થ થાય છે. જો પત્ ધાત્વર્થ પૂર્વપક્ષીના કહેવા મુજબ જાતિવિશેષાવચ્છિન્ન ક્રિયા જ હોય,તો ભૂતલોત્તર સપ્તમ્યર્થ આધેયતાનો અન્વય, ક્રિયામાં જ કરવો
વ્યુત્પત્તિવાદ * ૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org