SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પડે, અને તો શાબ્દબોધનો આકાર થશે, ભૂતલનિષ્ઠ ક્રિયા, જયારે ક્રિયા તો પર્ણમાં છે, ભૂતલમાં નહીં. એટલે મૂતને પતતિ પ્રયોગ જ અનુપપન્ન થઈ જશે. पर्णादिगतस्पन्दस्य परम्परया भूतलादिवृत्तित्वमिति चेत् ? પૂર્વપક્ષઃ ક્રિયા ભલે સાક્ષાત્ ભૂતલમાં ન હોય, પણ પર્ણમાં તો છે જ. એટલે પરંપરાએ ભૂતલમાં પણ રહી છે જ.. વિવેચનઃ ક્રિયા પર્ણમાં રહી છે. પર્ણનો ભૂતલ સાથે સંયોગ છે. એ સંયોગમાં અનુયોગી ભૂતલ છે, પ્રતિયોગી પર્ણ છે. એટલે એ પર્ણપ્રતિયોગિક સંયોગ છે, જે ભૂતલમાં રહ્યો છે. એટલે ક્રિયા પણ સ્વાશ્રયપ્રતિયોગિક સંયોગ સંબંધથી ભૂતલમાં છે. (સ્વ = ક્રિયા, સ્વાશ્રય = પર્ણ) આમ હવે ભૂતલોત્તર સપ્તમ્યર્થ આધેયતાનો અન્વય ક્રિયામાં કરવાના તાત્પર્યથી પણ મૂતજો પતિ પ્રયોગ થઈ શકશે. ૭૦. તરં “વૃક્ષાત્ તિ’ તિવત્ “વૃક્ષે પતિ’ રૂપ ચાન્ ! ઉત્તરપક્ષઃ તો પછી વૃક્ષાત્ પતિ ની જેમ વૃક્ષે પતતિ પ્રયોગ પણ થઈ શકશે. વિવેચનઃ જો પર્ણમાં રહેલ ક્રિયા, ભૂતલમાં પરંપરાસંબંધથી રહી હોવાથી મૂતત્તે પતિ પ્રયોગ થઈ શકતો હોય તો પછી પર્ણનિષ્ઠ ક્રિયા, પરંપરા સંબંધથી તો વૃક્ષમાં પણ રહી છે. પર્ણનો વૃક્ષથી વિભાગ થાય છે. એટલે પર્ણનિષ્ઠ ક્રિયા, સ્વાશ્રયપ્રતિયોગિકવિભાગ સંબંધથી વૃક્ષમાં રહેશે. અને તો, સામ્યર્થ આધેયતાનો ક્રિયામાં અન્વય કરવાના તાત્પર્યથી વૃક્ષે પતતિ પ્રયોગ પણ થઈ શકશે. પણ તે થતો નથી એટલે માનવું પડે કે, સપ્તમ્યર્થ જે આધેયતા છે, તે પરંપરાસંબંધાવચ્છિન્ન ન લઈ શકાય. અને તો પછી ભૂતત્તે પતતિ પ્રયોગની ઉપપત્તિ માટે, વત્ ધાત્વર્થ અધઃ સંયોગાવચ્છિન્ન સ્પન્દ જ માનવો પડે. જેથી, ભૂતલોત્તર સપ્તમ્યર્થ આધેયતાનો અધઃ સંયોગમાં અન્વય થઈ શકે. અહીં અધઃ સંયોગ ભૂતલમાં સમવાય સંબંધથી રહ્યો હોવાથી આધેયતા સમવાય સંબંધાવચ્છિન્ન થશે. વ્યુત્પત્તિવાદ x ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy