________________
શંકા : પણ આ રીતે માનવામાં કોઈ લાઘવ તો થયું નહીં. સમાધાન : દ્વિતીયાની ફળમાં શક્તિ માનવી ન પડવાથી, શાબ્દબોધની સામગ્રી જે
સમાનવિષયક અનુમિતિમાં પ્રતિબંધક બને છે, તે પ્રતિબંધતામાં, હવે દ્વિતીયાજ ફળોપસ્થિતિ અને ધાતુજન્ય વ્યાપારોપસ્થિતિ એમ બેનો સમાવેશ નહીં થાય પણ ધાતુજન્ય ફલાવચ્છિન્નવ્યાપારોપસ્થિતિ એકનો
જ સમાવેશ થવાથી લાઘવ થશે. વિવેચનઃ પ્રાચીન મત- દ્વિતીયાર્થ ફળ, ધાત્વર્થ વ્યાપાર..
નવ્ય મત- દ્વિતીયાર્થ આધેયતા, ધાત્વર્થ ફળાવચ્છિન્નવ્યાપારના લાઘવ-ગૌરવની ચર્ચા પૂર્વે (૧૫ થી ૧૯) કરી હતી. અને પ્રાચીન મતમાં લાઘવ બતાવેલું. હવે આ નવા મત, ધાત્વર્થ ફળાવચ્છિન્નવ્યાપાર, દ્વિતીયાર્થ માત્ર સંખ્યા અને સંસર્ગથી આધેયતાનો બોધ માનવામાં લાઘવ શું છે? તેવા પ્રશ્નનો જવાબ આપે છે કે, પ્રાચીન મતમાં ફળ + આધેયતામાં દ્વિતીયાની શક્તિ માનવાનું, નવ્ય મતે આધેયતામાં દ્વિતીયાની શક્તિ માનવાનું ગૌરવ હતું. જે આ મતમાં રહેતું નથી. વળી, દ્વિતીયાજન્ય ફળોપસ્થિતિમાં સમાવિષયકાનુમિતિની પ્રતિબંધકતા પણ હવે નહીં માનવી પડે. માત્ર ધાતુજન્ય વિશિષ્ટપસ્થિતિમાં જ માનવી પડશે. એ પણ લાઘવ થશે.
૨૦.
वस्तुतस्तु शाब्दबुद्धरधिकविषयकत्वे 'राज्ञः पुरुषः' इत्यादौ स्वत्वादेः संसर्गतानिराकरणावसरे सामग्रीप्रतिबन्धकतायां लाघवस्य दर्शितत्वाद् द्वितीयादेराधेयत्वमर्थः फलावच्छिन्नव्यापारश्च धातोरित्येव युक्तम् । હકીકતમાં તો રાજ્ઞ: પુરુષઃ સ્થળે સ્વત્વને સંસર્ગ માનવો કે વિભકત્યર્થ? એ ચર્ચામાં બતાવ્યા મુજબ શાબ્દબોધનો વિષય અધિક હોય તો, પ્રતિબંધકતામાં લાઘવ થાય છે, એટલે દ્વિતીયાર્થ આધયતા માનવો અને
ધાત્વર્થ ફળાવચ્છિન્નવ્યાપાર માનવો જ યોગ્ય છે. વિવેચનઃ પૂર્વપંક્તિ (૩૯)માં આધેયતાને સંસર્ગ માન્યો. તેમ માનવાથી
શાબ્દબોધનો વિષય ઘટે છે.
વ્યુત્પત્તિવાદ * ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org