SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન : દ્વિતીયાર્થી સંખ્યા છે. જે પ્રકૃત્યર્થમાં અન્વિત થાય છે. એટલે પ્રામં છત માં ધાત્વર્થ થશે સંયોગજનક વ્યાપાર, અને ગ્રામનો આધેયતા સંબંધથી સંયોગમાં અન્વય થઈ જશે. ૩૮. अस्तु च व्युत्पत्तिवैचित्र्येण नामार्थधात्वर्थयोरपि साक्षादन्वयबोधस्तथा सत्यतिप्रसङ्गस्य प्रागुपदशितप्रकारेण वारणसंभवात् । વ્યુત્પત્તિની વિચિત્રતાથી નામાર્થ-ધાત્વર્થનો સાક્ષાત અન્વયે બોધ પણ ભલે થાય. તેમ કરવાથી જે અતિપ્રસંગ આવે છે, તેનું વારણ પૂર્વે બતાવ્યા મુજબ થઈ શકે છે. વિવેચન : શંકાઃ તમે જો આધેયતાને સંસર્ગ માનશો, તો પ્રકૃત્યર્થ ગ્રામનો સીધો જ આધેયતા સંબંધથી ધાત્વર્થતાવચ્છેદક ફળમાં અન્વય થશે. અને નામાર્થ ધાત્વર્થનો સાક્ષાત્ અન્વય તો પ્રતિષિદ્ધ છે. સમાધાન : અહીં વ્યુત્પત્તિની વિચિત્રતાથી તેવો અન્વયે પણ અમે માનીએ છીએ. પણ તો પછી, પ્રામં છત એવા તાત્પર્યથી, ગ્રામ છિત એવા પ્રયોગની આપત્તિ પણ આવશે, કારણ કે તેમાં પણ આધેયતા તો સંસર્ગવિધયા ઉપસ્થિત થઈ શકશે અને પ્રથમાંત પ્રકૃત્યર્થ ગામનો ધાત્વર્થતાવચ્છેદક ફળ સંયોગમાં અન્વય થઈ જશે. જો નામાર્થ-ધાત્વર્થ નો સાક્ષાત અન્વયબોધ ન માનીને, દ્વિતીયાર્થ આધેયતા માનો, તો જ એ આપત્તિનું વારણ થશે કારણ કે દ્વિતીયા ન હોવાથી આધેયતાનો બોધ નહીં થાય. સમાધાન : આધેયતા સંબંધથી ગ્રામના સંયોગમાં અન્વયબોધ માટે દ્વિતીયાન્ત પ્રામ પદ અને છિતિ પદના સમભિવ્યાહારને કારણ માની લેવાથી તે આપત્તિનું વારણ થઈ શકે છે. તે (પ્રથમા કારકમાં) રાજ્ઞ: પુરુષ: ના શાબ્દબોધની ચર્ચામાં અમે જણાવ્યું છે જ... न चैतत्कल्पे लाघवानवकाशः - फले स्वतन्त्रशक्त्यकल्पनेन सामग्रीप्रतिबन्धकतायां द्वितीयादिजन्यफलोपस्थितिधातुजन्यव्यापारोपस्थितिरित्युभयोपस्थित्यपेक्षया धातुजन्यविशिष्टविषयकोपस्थितेरेकस्या निवेशेन लाघवात् । વ્યુત્પત્તિવાદ # ૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy