________________
એટલે હવે ગ્રંથકાર કહે છે. કે જો વૃજ્યનિયામક સંબંધ પણ અભાવીય પ્રતિયોગિતાનો અવચ્છેદક બની શકે, એ સ્વીકારવાનું જ હોય, તો પછી, મદીર્દ ન સંત વિ. સ્થળોએ, દ્વિતીયાત પ્રકૃત્યર્થ વૃક્ષાદિના, આધેયતા રૂ૫ વૃજ્યનિયામક સંબંધથી ધાત્વર્થાતાવચ્છેદક ફળમાં અભાવનો બોધ થઈ શકશે... જો વૃજ્યનિયામકસંબંધ, અભાવીય પ્રતિયોગિતાનો અવચ્છેદક ન બની શકતો હોય, તો તેવો બોધ (કે દ્વિતીયાર્થ ફળના જનક–સંબંધથી ધાત્વર્થ ક્રિયામાં અભાવનો બોધ) શક્ય ન હોવાથી દ્વિતીયાર્થ આધેયતા માનીને તેનો વૃત્તિનિયામક એવા આશ્રયતા સંબંધથી ધાત્વર્થતાવચ્છેદક ફળમાં અભાવ માનવો પડે. પણ હવે તેવું જરૂરી ન હોવાથી. દ્વિતીયાર્થ આધેયતા માનવાની જરૂર નથી, આધેયતાનો બોધ સંસર્ગમર્યાદાથી જ થઈ જશે. TM ન ઔતિ સ્થળે પણ, ગુણના આધેયતા સંબંધથી અભાવનો સંયોગમાં બોધ થઈ શકશે. કારણકે ગુણ આધેયતા સંબંધથી ગુણત્વાદિમાં રહેતો હોવાથી તે અભાવ પ્રસિદ્ધ છે. સામાનં ર એંતિ સ્થળે પણ, આધેયતા સંબંધથી અભાવના અભાવનો ગુણમાં (સંયોગમાં) બોધ થશે. પણ પૂર્વે (નં. ૩૬માં) કહ્યા મુજબ, આધેયતા સમવાય સંબંધાવચ્છિન્ન જ લેવી પડે. અને અભાવ, સમવાયસંબંધાવચ્છિન્ન આધેયતાથી ક્યાંય રહેતો જ ન હોવાથી, તેનો અભાવ પણ પ્રસિદ્ધ નહીં થાય, અને તો શાબ્દબોધ નહીં થાય. સમવાય - સ્વરૂપ અન્યતર સંબંધાવચ્છિન્ન આધેયતા લેવાથી એ આપત્તિ ટળી જશે તે પૂર્વે જણાવ્યું છે. આધેયતા સંબંધ વૃત્તિ-અનિયામક શી રીતે? જ્ઞાન આત્મામાં સમવાય સંબંધથી રહે છે, ત્યાં જ્ઞાન આત્મામાં છે, એવી પ્રતીતિ સ્પષ્ટ હોવાથી તે વૃત્તિનિયામક સંબંધ છે. આત્મા, જ્ઞાનમાં સમવાયસંબંધ અવચ્છિન્ન આધેયતા સંબંધથી રહે છે. પણ, આત્મા જ્ઞાનમાં રહે છે, એવી પ્રતીતિ ન થતી હોવાથી તે વૃત્તિ નિયામક સંબંધ નથી. જો ફળ, ધાત્વર્થતાવચ્છેદક હોય, આધત્વનું જ્ઞાન સંસર્ગથી જ થતું હોય, તો દ્વિતીયાનો અર્થ શું?
પ્રશ્ન :
ઉત્તર :
પ્રશ્ન : ઉત્તર :
શંકા :
વ્યુત્પત્તિવાદ ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org