________________
અન્યમત ઃ જો નૃત્યનિયામક સંબંધને, અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક નહીં માનો, તો નવ્ય મતે પણ દ્રવ્યં પતિ નામાવમ્ સ્થળે, શાબ્દબોધની ઉપપત્તિ નહીં થાય. કારણ કે નવ્યમતે દ્વિતીયાર્થ આધેયતા છે. તે સમવાયસંબંધાવચ્છિન્ન જ છે. અન્યથા તો કાલિકસંબંધાવચ્છિન્ન આધેયતા લઈને ગ્રામ નિરુપતિ આધેયતા હંમેશાં જ સંયોગમાં આવી જવાથી અતિપ્રસંગ થશે. અને તો પછી (અભાવમાં સમવાય સંબંધથી કંઈ રહેતું ન હોવાથી) સમવાયસંબંધાવચ્છિન્ન, અભાવનિરુપતિ- આધેયતા જ અપ્રસિદ્ધ હોવાથી, ન દ્વારા તેના અભાવનો બોધ તો સંભવિત જ નથી. એટલે, ગ્ દ્વારા અભાવના, નિરુપિતત્વસંબંધવાચ્છિન્ન અભાવનો આધેયતામાં બોધ કરવો પડશે. અને તે પણ થઈ શકશે નહીં કારણ કે નિરુપિતત્વ સંબંધ વૃત્ત્તનિયામક છે.
વિવેચન : નવ્યમતે દ્વિતીયાર્થ આધેયતા છે. તે સમવાયસંબંધાવચ્છિન્ન આધેયતા જ લેવી પડે. જો યત્કિંચિત્ સંબંધાવચ્છિન્ન આધેયતા કહેશો, તો કાલિક સંબંધાવચ્છિન્ન આધેયતા પણ લઈ શકાય અને તો પછી જો કોઈ ગામ તરફ ન જઈ રહ્યું હોય અને જંગલ તરફ જઈ રહ્યું હોય, તો પણ પ્રામં રૂતિ કહી શકાશે. કારણ કે તે ગમનવ્યાપાર વનસંયોગ જનક છે, પણ કાલિક સંબંધથી વનસંયોગ પણ ગ્રામમાં તો રહ્યો જ હોવાથી, કાલિક સંબંધેન ગ્રામવૃત્તિ સંયોગજનક પણ છે. આ અતિપ્રસંગના વારણ માટે, વૃત્તિતા, સમવાય સંબંધથી જ લેવાની છે. વનસંયોગ, સમવાયસંબંધથી ગ્રામવૃત્તિ ન હોવાથી, હવે તે સ્થળે પ્રામં ાતિ નો પ્રયોગ થવાની આપત્તિ નહીં આવે.
પણ તો પછી, ‘દ્રવ્યું જાતિ નામાવમ્' સ્થળે આપત્તિ આવશે, કારણ કે અહીં, નગ્ નો અર્થ, સમવાયસંબંધાવચ્છિન્ન દ્વિતીયાંત પ્રકૃત્યર્થ અભાવનિરુપિત આધેયતાનો અભાવ થશે. પણ સમવાયસંબંધથી
અભાવમાં કશું જ ન રહેતું હોવાથી, સમવાયસંબંધાવચ્છિન્ન અભાનિરુપિત આધેયતા જ અપ્રસિદ્ધ છે અને તેથી તેના અભાવનો બોધ સંભવિત જ નથી.
એટલે હવે, નગ્ નો અર્થ, નિરુપિતત્વ સંબંધથી અભાવનો, સમવાય સંબંધાવચ્છિન્ન આધેયતામાં અભાવ કરવો પડશે. પણ નિરુપિતત્વ સંબંધ વૃત્ત્તનિયામક હોવાથી, વૃર્ત્યનિયામક સંબંધને અભાવપ્રતિયોગિતાવચ્છેદક નહીં માનો, તો તે પણ શક્ય નહીં બને
વ્યુત્પત્તિવાદ * ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org