SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : તિ’ સ્થળે મ્ ધાત્વર્થ સ્પન્દ વ્યાપાર છે અને તિર્ આખ્યાતનો અર્થ એકત્વ સંખ્યા, વર્તમાનકાળ અને કૃતિ છે. હવે એકત્વ સંખ્યા અને કૃતિનો અન્વય કર્તામાં કરવાનો છે અને તેના માટે કર્તાની ઉપસ્થિતિ જરૂરી છે. એટલે કર્તવાચક પદ ન હોય તો પ્રકરણાદિના આધારે, અધ્યાહારથી સઃ વિ. કર્તૃવાચક પદની કલ્પના કરી, કર્તાની ઉપસ્થિતિ કરીને તેમાં આખ્યાતાર્થ કૃતિ વિ. નો અન્વય કરવામાં આવતો હોવાથી નક્ સ્થળે પણ, આખ્યાતાર્થના અન્વય માટે અધ્યાહારથી કલ્પાયેલા કર્તવાચક પદથી ઉપસ્થિત કર્તામાં વ્યાપાકતૃત્વાભાવનો બોધ થઈ જશે. એમ પ્રાચીનો કહે છે. ૨૨. પછી તેનાથી કર્તા ઉર્પાસ્થત થશે અને તો નથી વ્યાપારકર્તૃત્વાભાવ, કર્તામાં જણાશે. નવ્યો : आख्यातार्थविशेष्यकस्याप्यन्वयबोधस्य संभवेनाध्याहारस्यानावश्यकत्वात् । આખ્યાતાર્થવિશેષ્યક અન્વય બોધ પણ સંભવિત છે, એટલે કર્તવાચક પદનો અધ્યાહાર કરવો જરૂરી નથી. વિવેચન : જ્યાં કર્તૃવાચક પદ નથી તેવા પતિ સ્થળે; ગમનાનુબૂલલશ્રૃતિ: એવો આખ્યાતાર્થવિશેષ્યક બોધ પણ થઈ શકે છે. એટલે આખ્યાતાર્થના અન્વય માટે, કર્તાની ઉપસ્થિતિ જરૂરી નથી. અને તેના માટે કર્તવાચક પદના અધ્યાહારની પણ જરૂર નથી. એટલે, કર્તાની ઉપસ્થિતિ વિના વ્યાપારકર્તૃત્વના અભાવનો બોધ નહીં થાય અને ફળનો વ્યાપારમાં જનક્તાસંબંધાવચ્છિન્ન અભાવ તો અપ્રસિદ્ધ છે. માટે પ્રાચીન મતે,નગ્ સ્થળે શાબ્દબોધ ન થવાની આપત્તિ આવશે જ. (અહીં આદર્શ ટીકામાં ગમન સ્થળનો બોધ બતાવ્યો છે. તેમાં આખ્યાત ન હોવાથી, આખ્યાતાર્થવિશેષ્યક બોધ નથી. પણ, મન સ્થળે કર્તૃવાચક પદ ન હોવા છતાં, વ્યાપારવિશેષ્યક બોધ સર્વમાન્ય છે, એટલે કર્તૃવાચક પદ ન હોય તો તેનો અધ્યાહાર કરવો જ પડે એવો નિયમ નથી. એવો ભાવાર્થ જાણવો.) Jain Education International વ્યુત્પત્તિવાદ * ૩૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy