SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ નવ્યો : જ્યાં કર્તવાચક પદ જ નથી ત્યાં તે શક્ય નથી.' વિવેચનઃ (૧) પ્રાચીન મતે દ્વિતીયાર્થ ફળ છે અને તેનો જનકતા સંબંધથી ધાત્વર્થ વ્યાપારમાં અન્વય થાય છે. એટલે જ્યાં નન્ હોય ( જીત) ત્યાં, ફળનો જનકતા સંબંધથી અભાવ વ્યાપારમાં પ્રતીત થાય (અર્થાત તે ગમનક્રિયા, વિવક્ષિત કર્મમાં સંયોગ રૂપી ફળની જનક બનતી નથી.) પણ જનકતા સંબંધ વૃજ્યનિયામક છે, અને તેથી, જનકતાસંબંધાવચ્છિન્ન અભાવ અપ્રસિદ્ધ થશે કારણ કે નૃત્યનિયામક સંબંધ અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક બનતો નથી. અને તો પછી પ્રાચીન મતે નમ્ સ્થળે શાબ્દબોધ જ નહીં થાય. (૨) નવ મતે દ્વિતીયાર્થ આધેયતા છે અને તેનો ધાત્વર્થતાવચ્છેદક ફળમાં આશ્રયતા સંબંધથી અન્વય થાય છે. એટલે નમ્ સ્થળે, આધેયતાનો આશ્રયતા સંબંધાવચ્છિન્ન અભાવ ફળમાં પ્રતીત થશે. અને આશ્રયતા સંબંધ વૃત્તિનિયામક હોવાથી તે પ્રસિદ્ધ છે. તેથી શાબ્દબોધ થશે. પ્રાચીનો કહે છે કે નગ્ન સ્થળે, અમે, ફળનો જનકતાસંબંધાવચ્છિન્ન અભાવ વ્યાપારમાં નહીં માનીએ, પણ વ્યાપારકર્તુત્વાભાવ, કર્તામાં માનીશું. અને કર્તુત્વ = કૃતિમત્ત્વ = કૃતિ તો સમવાય સંબંધથી રહેતી હોવાથી તે વૃત્તિ નિયામક સંબંધ બનશે અને તદવચ્છિન્નાભાવ પ્રસિદ્ધ થવાથી શાબ્દબોધ થઈ શકશે. એટલે, ચૈત્ર: મહીદં ર ચ્છિત સ્થળે, મહીસહવૃત્તિ સંયોગજનક ગમનક્રિયાકર્તુત્વાભાવવાનું ચૈત્ર, એવો શાબ્દબોધ થશે. (૪) નવ્યો તેનું ખંડન કરતાં કહે છે કે જ્યાં કર્તવાચક પદ છે, ત્યાં તમે તે રીતે માની શકો. પણ જયાં કર્તુવાચક પદ છે જ નહીં, ત્યાં કર્તાની જ ઉપસ્થિતિ ન થવાથી તેમાં કર્તુત્વાભાવ પણ પ્રતીત નહીં થઈ શકે. એટલે શાબ્દબોધ જ નહીં થાય. ૨૨. न च तत्राप्याख्यातार्थान्वयबोधानुरोधेन कर्तृवाचकपदाध्याहारस्यावश्यक तयाऽध्याहृतपदोपस्थाप्यकर्तर्येव तादृशाभावो नजा बोधयिष्यते इति वाच्यम्, ભાવાર્થ : પ્રાચીનો : જયાં કáવાચક પદ નથી, ત્યાં પણ આખ્યાતના અર્થનો અન્વય કરવા માટે કર્તુવાચક પદનો અધ્યાહાર કરવો જ પડે છે. એટલે વ્યુત્પત્તિવાદ # ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy