________________
૨૮. अस्तु वा ममाप्याधेयत्वे लक्षणैव शक्तिस्तु संख्यायामेव । यदि च
द्वितीयादेः फलबोधकतामते फलेऽपि तस्या लक्षणैव न तु शक्तिः, शक्तिस्तु संख्यायामेव - संयोगविभागादिरूपप्रत्येकफलापेक्षया संख्यायां तत्प्रयोगप्राचुर्यस्य विनिगमकत्वादित्युच्यते तथापि तन्मते धातुजन्यशुद्धव्यापारोपस्थितेः शाब्दबोधहेतुताकल्पनमधिकम् - द्वितीयाद्यसमभिव्याहारस्थलानुरोधेन फलविशेषावच्छिन्नाव्यापारे धातोर्लक्षणाया भवतामप्यावश्यकत्वाद् धातुजन्यतादृशव्या
पारोपस्थितिहेतुताया उभयसिद्धत्वात् ।। ભાવાર્થ: નવ્યો - તમે જો આધેયતામાં દ્વિતીયાની લક્ષણા જ માનતા હો, તો અમે
પણ આધેયતામાં દ્વિતીયાની લક્ષણા જ માનશું અને દ્વિતીયાની શક્તિ
સંખ્યામાં માનશું. પ્રાચીનો : તો અમે પણ દ્વિતીયાની શક્તિ સંખ્યામાં માનીને, ફલમાં લક્ષણા જ
માનીશું. ફળ તો ધાતુ અનુસારે જુદા જુદા હોય છે. એટલે ફળ કરતાં સંખ્યા અર્થમાં જ દ્વિતીયાનો પ્રયોગ વધુ થાય છે એ જ તેની શક્તિ સંખ્યામાં માનવા માટે વિનિગમક છે. તો પણ તમારે, જયાં દ્વિતીયા નથી, ત્યાં ધાતુની લક્ષણા ફળાવચ્છિન્ન વ્યાપારમાં તો માનવાની જ છે. એટલે ધાતુથી થયેલ, ફળાવચ્છિન્નવ્યાપારની ઉપસ્થિતિમાં શાબ્દબોધની કારણતા તો તમારેઅમારે બંનેએ માનવાની છે. પણ જયાં દ્વિતીયા છે, ત્યાં તમારા મતે ધાતુથી માત્ર વ્યાપારની ઉપસ્થિતિ થશે. તેમાં પણ તમારે શાબ્દબોધની કારણતા માનવી પડશે, એ તમારે
ગૌરવ છે જ.૩ વિવેચન :
જો પ્રાચીનો, દ્વિતીયાની આધેયતામાં લક્ષણા જ માને તો તેમને દ્વિતીયાની શક્તિ ફળમાં અને ધાતુની શક્તિ વ્યાપારમાં માની હોવાથી લાઘવ થાય, કારણકે નવ્યોએ દ્વિતીયાની શક્તિ આધેયતામાં અને ધાતુની શક્તિ ફળવિશિષ્ટવ્યાપારમાં માની હોવાથી ગૌરવ સ્પષ્ટ છે. આથી નવ્યો કહે છે કે જો પ્રાચીનો દ્વિતીયાની આધેયતામાં લક્ષણા જ
નવ્યો :
(૧)
વ્યુત્પત્તિવાદ # ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org