________________
(૨)
નવ્યને પણ બે જ શક્તિ માનવી પડશે. ધાતુની ફળવિશિષ્ટવ્યાપારમાં અને દ્વિતીયાની આધેયતામાં. પ્રાચીનને બે શક્તિ માનવી પડશે. પણ ધાતુની શક્તિ માત્ર વ્યાપારમાં માનવાની હોવાથી તેને લાઘવ થશે. પ્રમHધ્યાતે માં ધાતુ (ધ + ૩) નો અર્થ સ્થિતિ (રહેવું) છે. અને દ્વિતીયાનો અર્થ આધેયતા છે. જેથી પ્રામનિરૂપિતાધેયતાવસ્થિતિમાન એવો અર્થ થાય છે. પ્રામHધશેતે માં એ જ રીતે પ્રાનિપિતાધેયતાવાયનવાનું અર્થ થાય. ગ્રામ સંયુતિમાં ગ્રામવૃત્તિ સંયોIIનુભૂતકૃતિમાન એવો અર્થ થાય. આ બધા સ્થળે, દ્વિતીયાનો અર્થ સર્વ મતે આધેયતા જ થતો હોવાથી પ્રાચીને પણ આયતામાં તો દ્વિતીયાની શક્તિ માનવી પડશે. એટલે પ્રાચીનોએ ધાતુની શક્તિ વ્યાપારમાં, દ્વિતીયાની એક શક્તિ ફળમાં અને બીજી આધેયતામાં, એમ ત્રણ શક્તિ માનવી પડશે. જ્યારે નવ્યોને તો બે જ શક્તિ માનવાની હોવાથી લાઘવ છે. પ્રાચીન આધેયતામાં દ્વિતીયાની શક્તિ ન માનતાં, લક્ષણા માને, તો તેમને પણ નવ્યોની જેમ બે જ શક્તિ માનવી પડે. અને તેમાં, ધાતુની શક્તિ માત્ર વ્યાપારમાં માનવાનું લાઘવ રહેશે. પ્રાચીન મતે દ્વિતીયાનો અર્થ આધેયતા પણ છે અને સંયોગાદિ ફળ પણ છે. એક સ્થાને શક્તિ અને બીજે લક્ષણા માનવી હોય તો તે માટે કારણ-વિનિગમક જોઈએ. જેમ કે જ્યાં શતતાવચ્છેદક લઘુ હોય ત્યાં શક્તિ માની શકાય; બીજે બધે લક્ષણા કરી શકાય. અહીં આધેયતાત્વ અને સંયોગત્વ બંને સમાન રીતે અખંડ ધર્મ છે. (બીજા ધર્મોથી ઘટિત નથી, પણ સ્વતંત્ર છે) એટલે એક લઘુ-બીજો ગુરુ એવું નથી. તેથી એકને શતતાવચ્છેદક બનાવવું – બીજાને નહીં - એવું કરી ન શકાય. એટલે બંનેમાં શક્તિ માનવી જ પડે. અને તો, પ્રાચીનોને ત્રણ શક્તિ માનવાનું ગૌરવ ઊભું જ રહે. ટિપ્પણ : જેનું નિર્વચન થતું હોય (દા.ત., કર્મત્વ = ક્રિયાજન્ય ફલશાલિત્વ) તે ધર્મો ગુરુભૂત બને. પણ જે અખંડ ધર્મો છે (દા.ત., વિષયતાત્વ, આશ્રયત્વ વિ.) તે બધામાં સમાન લાઘવ છે.
વ્યુત્પત્તિવાદ % ૨૯
(૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org