________________
શંકા :
ઉત્તર :
(૨)
શંકા :
ઉત્તર :
કરતા હોય તો અમે પણ દ્વિતીયાની આધેયતામાં લક્ષણો જ કરીશું. એટલે અમારી એક શક્તિ જ માનવાની ઘટી જશે. તેથી લાઘવ થશે. પણ નવોએ દ્વિતીયાની શક્તિ ક્યાંક તો માનવી જ પડે ને? પ્રાચીનો તો ફળમાં દ્વિતીયાની શક્તિ માને છે. નવ્યો તો ફળની ઉપસ્થિતિ ધાતુથી જ માને છે. તેઓ દ્વિતીયાની શક્તિ સંખ્યામાં જ માનશે. દ્વિતીયાના પ્રત્યયો જેમ કર્મત્વને જણાવે છે, તેમ એક-બે કે બહુ-સંખ્યાને પણ જણાવે છે જ. એટલે તેની શક્તિ સંખ્યામાં જ માનવાની, પ્રાચીનો પણ દ્વિતીયાને સંખ્યાબાધક માનતા હોવાથી સંખ્યામાં તો તેની શક્તિ માનશે જ, ઉપરાંત ફળમાં પણ તેની શક્તિ માનવાથી તેમને ગૌરવ થશે. તો પ્રાચીન કહે છે કે અમે પણ દ્વિતીયાની શક્તિ માત્ર સંખ્યામાં માનીને ફળમાં લક્ષણા જ કરીશું. પણ દ્વિતીયા સંખ્યા અને ફળ ઉભયની બોધક હોય, તો એકમાં તેની શક્તિ, બીજામાં લક્ષણો, એવું કરવા માટે વિનિગમક શું છે? ફળ તો ધાતુ અનુસાર જુદા જુદા હોય છે. એટલે દ્વિતીયા દ્વારા સંયોગાદિ ફળનું જ્ઞાન તો નમ્ વિ. ના સમભિવ્યાપારમાં જ થશે, જયારે સંખ્યાનું જ્ઞાન તો સર્વત્ર થશે. આ જ, દ્વિતીયાની શક્તિ સંખ્યામાં માનવામાં વિનિગમક થશે. આમ ફરી, પ્રાચીનોને અને નવ્યો બંને દ્વિતીયાની શક્તિ માત્ર સંખ્યામાં માનતા હોવાથી પ્રાચીનોને ધાતુની શક્તિ માત્ર વ્યાપારમાં માનવા રૂપ લાઘવ થશે. જયાં દ્વિતીયા છે જ નહીં, તેવા છત’ વિ. સ્થળે પ્રાચીનો, નિરૂઢ લક્ષણાથી ધાતુથી ફળવિશિષ્ટવ્યાપારની ઉપસ્થિતિ માને છે. નવ્યો તો તેમાં ધાતુની શક્તિ જ માને છે. એટલે ધાતુજન્ય ફળવિશિષ્ટવ્યાપારોપસ્થિતિમાં શાબ્દબોધની કારણતા બંનેને સમાન છે. જયાં દ્વિતીયા છે, ત્યાં પણ નવ્યો ધાતુથી ફળવિશિષ્ટવ્યાપારની જ ઉપસ્થિતિ માનતા હોવાથી, તેમને શાબ્દબોધની એક જ કારણતા માનવી પડે છે.
વ્યુત્પત્તિવાદ
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org