________________
“મનં ન સન્તઃ' સ્થળે, ગમન પદથી, શક્તિભ્રમ કે લક્ષણાથી સંયોગની ઉપસ્થિતિ થાય, તો સંયોગવિશેષ્યક સ્પન્દભેદનો બોધ થઈ શકશે. પરંતુ જો ગમન પદથી સંયોગાવચ્છિન્નસ્પન્દનો બોધ થાય, તો સંયોગવિશેષ્યક સ્પન્દભેદનો બોધ નહીં થાય, કારણ કે તેવા બોધ માટે સંયોગવિશેષ્યકવૃત્તિજ્ઞાનજન્ય સંયોગની ઉપસ્થિતિ કારણ છે. જ્યારે અહીં સંયોગપ્રકારનવૃત્તિજ્ઞાનજન્ય સંયોગની ઉપસ્થિતિ થઈ છે. પણ, દ્વિતીયાસમભિવ્યાહત (પ્રાપં છત) સ્થળે સંયોગવિશેષ્યક શાબ્દબોધ માટે સંયોગવિશેષ્યનવૃત્તિજ્ઞાનજન્ય સંયોગની ઉપસ્થિતિ કારણ નથી, પણ આ વિ. ધાતુ જન્ય, સંયોગપ્રકારકવૃત્તિજ્ઞાનજન્ય સંયોગની ઉપસ્થિતિ જ કારણ છે. કારણ કે ઉપર કહ્યું તેમ, દરેક શાબ્દબોધની સામગ્રી અલગ અલગ છે. એટલે, દ્વિતીયાસમભિવ્યાહાર સ્થળે, સંયોગવિશેષ્યક વૃત્તિજ્ઞાનજન્ય સંયોગની ઉપસ્થિતિ વિના પણ સંયોગવિશેષ્યક શાબ્દબોધ થાય, તો પણ ત્યાં વ્યભિચાર (કારણ ન હોવા છતાં કાર્ય થવા રૂપ વ્યતિરેક વ્યભિચાર) આવતો જ નથી, કારણકે તે શાબ્દબોધના કારણરૂપ, સંયોગ પ્રકારકવૃત્તિજ્ઞાનજન્ય સંયોગોપસ્થિતિ તો હાજર જ છે. આમ આ નિયમ બનાવવાથી, મને ન અન્તઃ જેવા અનિષ્ટ પ્રયોગની આપત્તિ ટળે છે, અને ગ્રામ છિત જેવો ઈષ્ટ પ્રયોગ થઈ શકે છે.
એમ કેટલાક કહે છે. ૨૬. अत्रेदं चिन्त्यते - व्यापारमात्रस्य धात्वर्थतायामपि सर्वानुपपत्तीना
मुद्धृतत्वात् फलावच्छिन्नव्यापारस्प गुरुतया तथात्वमनुचितम् । ભાવાર્થ : અહીં આ વિચાર કરાય છે- ધાતુનો અર્થ માત્ર વ્યાપાર માનવામાં જે
આપત્તિઓ અપાઈ, તે બધાનું નિવારણ જો થઈ જ શક્યું છે, તો પછી ધાતુનો અર્થ ફળાવચ્છિન્નવ્યાપાર માનવામાં ગૌરવ હોવાથી, એ
અનુચિત છે. વિવેચનઃ પ્રાચીન, ધાતુનો અર્થ વ્યાપાર, દ્વિતીયાનો અર્થ ફળ માને છે. નવીનો
ધાતુનો અર્થ ફળાવચ્છિન્ન વ્યાપાર, દ્વિતીયાનો અર્થ આધેયતા માને છે. એ બંને મતની સમીક્ષા કરે છે. પ્રાચીનોને જે-જે આપત્તિઓ અપાઈ, તે બધાનું નિવારણ તેમણે કર્યું છે, તો પછી ફળાવચ્છિન્નવ્યાપાર ને ધાતુનો અર્થ માનવામાં નવીનોને ગૌરવદોષ તો આવે છે જ. એ સ્પષ્ટ છે.
વ્યુત્પત્તિવાદ # ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org