________________
વ્યભિચાર આવે છે જેનું વારણ અન્યપ્રકારે સંભવ ન હોવાથી (તદ્વિશેષ્ય......પવાર્થીપસ્થિતે:) તત્પદાર્થ વિશેષ્યક વૃત્તિજ્ઞાન (શક્તિ કે લક્ષણા)થી થયેલ તત્પદાર્થોપસ્થિતિના કાર્યતાવચ્છેદકમાં તાદશોપસ્થિતિથી અવ્યવહિતોત્તરત્વનો સમાવેશ કરવો જરૂરી બને છે. આ રીતે વિશેષરૂપે તે તે પદનો સમાવેશ કરીને જ પદાર્થોપસ્થિતિની તાદશશાબ્દબોધ પ્રતિ કારણતા સ્વીકારવી પડશે.
(i ૬....) આમ કરવાથી હવે ધાતુના અર્થતાવચ્છેદક ફળમાં દ્વિતીયાર્થવૃત્તિનો અન્વય થઈ શકશે. અને છતાં ‘માં ન ૫૬:' જેવા પ્રયોગની આપત્તિ નહીં આવે કારણ કે ‘પ્રામં ાતિ' જેવા પ્રયોગના શાબ્દબોધ પ્રતિ સંયોગવિશેષ્યકોપસ્થિતિની કારણતા જ ન હોવાથી તાદશોપસ્થિતિને લઈ વ્યભિચાર આવી શકતો નથી.
વિવેચન તૃષ્ણારણિમણિ ન્યાય પ્રસિદ્ધ છે. વહ્નિ, તૃણ અરણિ કે સૂર્યકાંત મણિથી પેદા કરી શકાય છે. જો તૃણને વહ્નિનું કારણ માનીએ, તો અરણિજન્યવહ્નિમાં તૃણ ગેરહાજર હોવાથી વ્યતિરેક વ્યભિચાર આવે. એટલે આવા સ્થળે તૃણ-અવ્યવહિતોત્તરવહ્નિનું કારણ તૃણ, અરણિ અવ્યવહિતોત્તરવહ્નિનું કારણ અરણિ એ રીતે કાર્યકારણભાવ બનાવાય છે. તે રીતે, ‘ઘડો બનાવ’ એવો શાબ્દબોધ ‘ઘટ ’‘નાં વિષે’િ વિ. અનેક પદોથી થઈ શકે છે. ત્યાં પણ; તૃણારણિમણિન્યાય લગાડવો પડે છે. જો પરં તુ પદોને તેવા શાબ્દબોધ માટે કારણ માનીએ તો લાં વિષેથિી શાબ્દબોધ થાય ત્યાં (કારણ ન હોવાથી) વ્યભિચાર આવે એટલે,
‘પટ વસ્તુથી થયેલ પદાર્થોપસ્થિતિની અવ્યવહિતોત્તરમાં થયેલ શાબ્દબોધની કારણતા તે પદાર્થોપસ્થિતિમાં જ છે એ રીતે માનવાનું છે.
હવે, ‘ગમાં ન સ્વત્વ:' માં; સંયોગવિશેષ્યક સ્પન્દભેદાન્વયબોધના વારણ માટે જે નિયમ બનાવ્યો કે ફલવિશેષ્યક શાબ્દબોધ માટે, તવિશેષ્યકવૃત્તિજ્ઞાનજન્ય તદુપસ્થિતિ કારણ છે;
ત્યાં પણ આ રીતે અવ્યવહિતોત્તરત્વનો સમાવેશ કરવો પડશે. એટલે તવિશેષ્યકવૃત્તિજ્ઞાનજન્યતઃપસ્થિતિ એ તાદશોપસ્થિતિની અવ્યવહિતોત્તરમાં થયેલ શાબ્દબોધનું જ કારણ છે.
આ નિયમ બનાવવાથી;
Jain Education International
વ્યુત્પત્તિવાદ * ૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org