________________
વિવેચન :
(૧)
(૨)
(૩)
એવો નિયમ માનવો પડશે કે, જ્યાં વૃત્તિથી વિશેષ્યતયા ફળની ઉપસ્થિતિ થાય, ત્યાં જ ફળવિશેષ્યક અન્વય ખોધ થાય.
પરંતુ તેવો નિયમ બનાવવા જતાં, દ્વિતીયાર્થનો પણ ધાત્વર્થતાવચ્છદેક ફળ માં અન્વય નહીં થઈ શકે.૩
જો પદાર્થનો અન્વય પદાર્થ-એકદેશમાં- ધાત્વર્થના એકદેશમાં માનવાનો હોય તો પછી ‘ગમનં ન સ્વન્તઃ' આવું પણ કહી શકાશે, કારણ કે અહીં गमनं - સંયોગજનકસ્પન્દ, 7 = ભેદ અને સ્વન્દ્ર સન્દ છે. જો એકદેશાન્વય ન કરી શકાતો હોત તો સ્પભેદનો અન્વય ગમનપદાર્થ સાથે જ કરવો પડે અને તે ન થઈ શકે કારણ કે ગમનપદાર્થ પણ સ્પન્દ જ છે. પણ એકદેશાન્વય માન્યો હોવાથી સ્પન્દભેદનો અન્વય, ગમનપદાર્થ-એકદેશ, સંયોગ સાથે કરી શકાશે અને થશે, કારણ કે સંયોગ, સ્પન્દથી ભિન્ન છે. એટલે ‘Tમન ન સ્વન્તઃ' આવો પ્રયોગ થઈ શકશે, આવી આપત્તિ આવે છે.
એ આપત્તિના વારણ માટે નિયમ બનાવવાનો કે, જ્યાં ફળને વિશેષ્ય બનાવીને અન્વયબોધ કરવાનો હોય, ત્યાં ફળની ઉપસ્થિતિ, જે શક્તિ લક્ષણા રૂપ વૃત્તિ જ્ઞાનથી થાય, તે વૃત્તિજ્ઞાનમાં ફળ વિશેષ્યરૂપે જ હોવું જોઈએ. ‘ગમન ન સ્વન્તઃ' માં; સ્પન્દભેદનો અન્વય, સૈંયોગ સાથે કરવો હોય તો સંયોગ વિશેષ્ય બને. હવે તેની ઉપસ્થિતિ, ભ્ ધાતુના શક્તિજ્ઞાનથી, ‘સંયોગજનક-સ્પન્દ' રૂપે થાય છે. જેમાં સંયોગ એ વિશેષ્ય નથી, પણ વિશેષણ છે. એટલે ઉપરોકત નિયમના આધારે હવે સંયોગને વિશેષ્ય બનાવીને ‘સ્વત્વમેવાનું સંયો:' એવા અન્વયબોધ માટે ‘ગમન ન સ્વન્દ્વ' એવો પ્રયોગ થઈ જ નહીં શકે. ‘સંયોગ: 7 સ્વન્દ્રઃ’ એવો પ્રયોગ થઈ શકશે, કારણ કે અહીં સંયોગની ઉપસ્થિતિ, સંયોગપદના શક્તિજ્ઞાનથી થાય છે, જેમાં સંયોગ વિશેષ્યરૂપે જ હોય છે. એટલે સ્વમેવવાનું સંયોઃ એવો સંયોગવિશેષ્યકાન્વયબોધ થઈ શકે.
આવો નિયમ બનાવવા જતાં મુશ્કેલી એ થશે કે ‘પ્રામં જઋતિ’માં દ્વિતીયાર્થ = વૃત્તિ (= નિષ્ઠ) નો અન્વય, પમ્ ધાતુના અર્થના એક દેશ સ્વરૂપ અર્થતાવચ્છેદક ફળ = સંયોગમાં કરવાનો હોય છે. (ગ્રામવૃત્તિસંયોગજનકસ્પન્દ એ શાબ્દબોધનો આકાર છે.) હવે, તેના
વ્યુત્પત્તિવાદ * ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org