________________
વળી આધેયતામાં દ્વિતીયાની પ્રકૃતિ-ગ્રામના અર્થ ગામનો અન્વય કરવાનું તાત્પર્ય પણ છે. એટલે દ્વિતીયા, આધેયતા-અન્વિત સ્વાર્થ તાત્પર્યવિષય પ્રકૃતિક છે. માટે આધેયતામાં દ્વિતીયાની શક્તિ છે. એટલે સૂત્ર પરંપરાએ શક્તિગ્રાહક બને છે. (અનુમાન પ્રયોગનો ભાવાર્થ એ છે કે દ્વિતીયાઘટિત વાક્યમાં, આધેયતાનો બોધ થાય છે, અને બીજું કોઈ પદ, આયતાને જણાવતું ન હોવાથી પારિશેષ ન્યાયથી દ્વિતીયાનો અર્થ આધેયતા છે.) સામાન્યથી વ્યુત્પત્તિનો નિયમ છે કે, પદાર્થનો અન્વય પદાર્થ સાથે જ થાય. પદાર્થના એક દેશ સાથે નહીં. (એટલે જ 28 રનમાતા : એવો પ્રયોગ થતો નથી, કારણ કે તેમાં એ, રાગ પદનું વિશેષણ છે. જે પદાર્થ નથી, પદાર્થનો એક દેશ છે.) હવે જો દ્વિતીયાર્થ = વૃત્તિ હોય, ધાત્વર્થ = ફળાવચ્છિન્નવ્યાપાર હોય, તો દ્વિતીયાર્થનો અન્વય, ધાત્વર્થના એકદેશમાં જ કરવો પડશે, કારણ કે વૃત્તિતા ફળમાં છે, ફળાવચ્છિન્નવ્યાપારમાં નહીં. અને તો પછી ઉપરના નિયમનો ભંગ થશે, આવો પ્રશ્રકારનો આશય છે. તેને ઉત્તર આપે છે કે સર્વત્ર વ્યુત્પત્તિના નિયમ સમાન નથી હોતા. ત્રદ્ધક્ય નમતિ: માં એકદેશાન્વય ન થતો હોવા છતાં ચૈત્રસ્ય ગુરુબ્રમ્ વિ. માં થાય છે જ, એ સ્વીકૃત છે. એટલે અહીં પણ વ્યુત્પત્તિની વિચિત્રતાના કારણે, ધાત્વર્થના એકદેશમાં દ્વિતીયાર્થનો અન્વય માની શકાય છે.
૨૨.
अथ 'गमनं न स्पन्दः' इत्यादितो धात्वर्थतावच्छेदकफले स्पन्दभेदान्वयबोधसंभवे नै तादृशप्रयोगस्य वारणाय फलविशेष्यकान्वयबोधे तद्विशेष्यकवृत्तिज्ञानजन्यफलोपस्थितित्वेन हेतुत्वकल्पनस्यावश्यकत्वात् तादृशकारणबाधेन धात्वर्थतावच्छेदकफले
द्वितीयार्थान्वयासंभवः । ભાવાર્થ : પૂર્વપક્ષ : તો તો પછી મને ઃ ' એવો પ્રયોગ પણ થઈ શકશે, કારણ કે
સ્પન્દભેદનો અન્વય, મ પદના અર્થના એકદેશ = ધાત્વર્થતાવચ્છેદક ફળ = સંયોગમાં થઈ શકે છે. એટલે, એવો પ્રયોગ ન થાય તે માટે,
વ્યુત્પત્તિવાદ # ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org