________________
(૫)
(૬)
દા.ત. પ્રામં ઋતિમાં મ્ નો અર્થ છે, સંયોગજનકસ્પન્દ. સંયોગ ગામમાં રહ્યો છે. એટલે દ્વિતીયાનો અર્થ કરશે, વૃત્તિ; જેનો અન્વય થશે સંયોગમાં. એટલે અર્થ થશે ગ્રામવૃત્તિસંયોગજનકસ્પન્દ. નવ્યોએ દ્વિતીયાનો અર્થ કર્યો ફળાન્વયી એવી વૃત્તિ. જ્યારે વ્યાકરણનું સૂત્ર ‘ર્મળિ દ્વિતીયા’ એમ કહે છે કે દ્વિતીયાનો અર્થ કર્મત્વ = ફળ છે. તો બંનેનો વિરોધ થાય, એવો પ્રશ્નકારનો અભિપ્રાય છે.
તેનો પરિહાર એ રીતે કરે છે કે ર્મળિ દ્વિતીયા' સૂત્રનો અર્થ એ ન કરવો કે ‘કર્મ/કર્મત્વના અર્થમાં દ્વિતીયા થાય.' પણ એ અર્થ કરવો કે “ફળમાં જે આધેયતા-વૃત્તિતા રહી છે. તેમાં અન્વય થવાનું જે પ્રકૃતિ (નામ)નું તાત્પર્ય હોય, (અર્થાત્ ફળનો જે આધાર હોય- જેમાં ફળ રહ્યું હોય) તે પ્રકૃતિને દ્વિતીયા થાય.’’ એટલે હવે સૂત્રવિરોધ પણ નહીં રહે.
પદની શક્તિ શેમાં છે ? તે કોશ, વ્યાકરણ વિ. અનેક રીતે જણાય છે. તેમાં વ્યાકરણના સૂત્રોને પણ શક્તિગ્રાહક મનાયા છે. જેમ કે, “હેતુ-રોત્થભૂતલમને” આ સિદ્ધ-હૈમ સૂત્રથી, તૃતીયાની શક્તિ હેતુત્વાદિમાં જણાય છે.
હવે ‘ર્મળિ દ્વિતીયા’ સૂત્ર દ્વારા દ્વિતીયાની શક્તિ તો કર્મ/કર્મત્વમાં જ જણાય. જો એ સૂત્રનો અર્થ ઉપર કહ્યો તે કરવાનો હોય, તો પછી “સૂત્ર દ્વિતીયાની શક્તિ શેમાં છે ? તે જણાવતું નથી. તો પછી તે શક્તિગ્રાહક શી રીતે બને ?’ આવો પ્રશ્નકારનો અભિપ્રાય છે.
તેનો પરિહાર કરતાં કહે છે કે ભલે એ સૂત્રથી દ્વિતીયાની શક્તિ ન જણાતી હોય, તો પણ તથા પ્રકારનો જ બોધ થતો હોવાથી તેનું અનાદિતાત્પર્ય, ફળાન્વયી એવી વૃત્તિમાં છે, એ તો જણાય છે જ. અને અનાદિ તાત્પર્ય જણાય એટલે પરંપરાએ શક્તિ જ જણાય છે; તે આ રીતે आधेयत्वार्थिका, असति बाधके स्वघटितवाक्यघटकपदान्तराबोध्याधेयत्वान्वितस्वार्थतात्पर्यविषयप्रकृतिकत्त्वात् અનુમાનથી દ્વિતીયાની શક્તિ, આધેયતામાં જણાય છે.
द्वितीया
અનુમાન પ્રયોગનો અર્થ -
-
સ્વ = દ્વિતીયા, તેનાથી ઘટિત વાક્ય - ગ્રામં ગતિ વિ.; તેમાં દ્વિતીયા સિવાયના બીજા કોઈ પદ (પદાન્તર) થી આધેયત્વનો બોધ થતો નથી.
વ્યુત્પત્તિવાદ * ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org