________________
વિવેચન :
(૧)
(૨)
અભ્રાન્ત માણસને પણ તમારા મતમાં (ધાતુને માત્ર વ્યાપારાર્થક માનવાના મતમાં) શક્તિથી ત્યજ્ઞતિ-નૃતિ વિ. માં સમાન બોધ સંભવિત હોવાથી વિદ્વાનો પણ, ત્યાગાદિ તાત્પર્યથી ગમનાદિનો પ્રયોગ કરે, તે આપત્તિ ઊભી જ રહેશે.૩
અહીં નં.૬માં ‘અથ’ થી શરૂ થયેલ પૂર્વપક્ષ પૂર્ણ થયો.
પૂર્વપક્ષીએ શક્તિથી, ત્યગતિ-શ્રૃતિ વિ. ધાતુમાં સમાનબોધની આપત્તિ આપી છે. તેથી તેની સામે કહે છે કે, જ્યારે જ્યારે મ્ વિ. ધાતુથી શાબ્દબોધ થાય, ત્યારે સંયોગાદિ ફળનો બોધ થાય જ છે. ફળનો બોધ ન થાય અને માત્ર વ્યાપારનો બોધ થાય તેવું ક્યારેય બનતું નથી. એટલે શાબ્દબોધની કારણસામગ્રીમાં ધાતુની શક્તિથી ઉપસ્થિત વ્યાપારની સાથે સાથે ફળવિશેષ બોધક સામગ્રી (દ્વિતીયાથી ઉપસ્થિત ફળ વિ.) પણ સમાવિષ્ટ કરી દેવી. એટલે હવે ફળવિશેષ બોધક સામગ્રી હશે, તો જ શાબ્દબોધ થશે. એટલે કે, સંયોગરૂપ ફળ બોધક સામગ્રી હશે તો જ મ્ થી શાબ્દબોધ થશે. વિભાગરૂપ ફળ બોધક સામગ્રી હશે તો જ ત્યસ્ થી શાબ્દબોધ થશે. અને બંનેનું ફળ સંયોગ-વિભાગરૂપ જુદું જુદું હોવાથી સમાન બોધની આપત્તિ નહીં આવે.
હવે પૂર્વપક્ષી, આનો ઉત્તર આપે છે કે જેને ગણ્ અને ચત્ ધાતુ એકાર્થક છે, એવો ભ્રમ થયો છે, તેને તો ત્યાન્તઃ અને ગમનથી સમાન બોધ થાય છે, અને તે માત્ર સ્પન્દવ્યાપારરૂપ છે. કારણ કે ફળ તો બંનેનું જુદું જુદું છે. એટલે માત્ર વ્યાપારનો બોધ થાય અને ફળનો બોધ ન હોય, તેવું બની શકે છે. એટલે સર્વત્ર ફળનો બોધ થાય જ, એવો નિયમ કરી શકાય નહીં.
(ટિપ્પણ : પ્રશ્નઃ જો ધાતુની શક્તિ વ્યાપારમાં જ માનવાની હોય, તો પછી 7મ્ અને ત્યજ્ બંને ધાતુનો અર્થ સ્પન્દ વ્યાપાર જ હોવાથી, બંને એકાર્થક જ છે. તો પછી તે બે ધાતુને એકાર્થક માનનારને ભ્રમ શી રીતે કહેવાય ?
:
ઉત્તર ઃ અહીં જે ધાતુઓથી શક્તિથી સમાન અર્થની ઉપસ્થિતિ થાય, તે એકાર્થક, એવી એકાર્થકતા અભિપ્રેત નથી; પણ, બીજા પદોના
વ્યુત્પત્તિવાદ * ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org