________________
જ થશે, અને તો ત્યાગ વિ. અર્થમાં મનમ્ વિ. પદોના પ્રયોગની
આપત્તિ તો ઊભી જ રહેશે. ૫ વિવેચન :
ગ્રંથકાર, માત્ર વ્યાપાર જ ધાતુનો અર્થ છે, તેવું કહે છે, ફળાવચ્છિન્ન વ્યાપાર નહીં, ફળનો બોધ દ્વિતીયા દ્વારા થાય છે, તેવું જણાવે છે. એટલે પૂર્વપક્ષ કહે છે કે જ્યાં દ્વિતીયા છે જ નહીં, ત્યાં તો માત્ર વ્યાપારનો બોધ જ થશે, ફળનો બોધ થશે જ નહીં. અને તો પછી ત્યનતિ- ત, કે ત્યારે: - મનમ્ વિ. પદો સમાનાર્થી થઈ જશે. તેનાથી સમાન જ બોધ થશે. કારણ કે બંને ધાતુનો અર્થ તો માત્ર સ્પદ રૂપ વ્યાપાર જ છે. એટલે ધાતુનો અર્થ માત્ર વ્યાપાર ન માનતાં, ફળાવચ્છિન્નવ્યાપાર માનવો જોઈએ. અને તો ત્યતિ/ત્યાI: માં ત્યર્ પાત્વર્થ- વિભાગજનકસ્પન્દ અને નચ્છતિમનસ્ માં સન્ ધાતુનો અર્થ સંયોગજનકસ્પદ થવાથી, બંને અર્થો જુદા થશે અને તેથી સમાન બોધની આપત્તિ નહીં આવે. કોઈને એવો ભ્રમ થયો હોય કે ન્ ની શક્તિ પણ સંયોગજનક સ્પન્દમાં જ છે, તો તેને ત્યજ્ઞતિ-તિ કે ત્યા: મનમ્ વિ. પદોથી સમાન બોધ થાય, એવું માનવું પડે. તે સિવાય- અર્થાત્ તેવા કોઈ પણ પ્રકારના દોષ વિના, નતિ-ચ્છિત કે ત્યT:-મનમ્ થી સમાન બોધ થતો નથી, એવું સર્વમાન્ય છે. જો ત્યા અને મનમ્ થી સમાન અર્થબોધ માન્ય હોય, તો તો વિદ્વાનો, કોઈએ ત્યાગ કર્યો હોય- ગામ છોડી દીધું હોય ત્યાં પણ ગ્રામ ઉર્જીત જેવો પ્રયોગ કરતાં હોત, પણ તેવું કોઈ કરતું નથી. આ આપત્તિનો પરિહાર કરવા કોઈ કદાચ એમ કહે કે ધાતુની શક્તિ તો વ્યાપારમાં જ છે, પણ જ્યાં દ્વિતીયા ન હોય, તેવા સ્થળે, ધાતુની ફળાવચ્છિન્ન-વ્યાપારમાં લક્ષણા કરવાની. એટલે ત્યગતિ માં જૂની લક્ષણા વિભાગ જનકસ્પન્દમાં, છતિ સ્થળે મની લક્ષણા સંયોગજનકસ્પન્દમાં કરવાથી બંનેના બોધ જુદા જુદા થઈ જશે. લક્ષણા દ્વારા સમાનબોધની આપત્તિ દૂર કરીએ, તો પણ જો ધાતુની શક્તિ માત્ર વ્યાપારમાં જ હોય તો કોઈક લક્ષણા ન કરે અને શક્તિથી જ બોધ કરે, તો ત્યજ્ઞતિ-ચ્છિત વિ. માં સમાન બોધ થઈ શકે જ, અને તો પછી વિદ્વાનો, ત્યાગ થયો હોય તેવા સ્થળે પણ સન્ ધાતુનો પ્રયોગ
વ્યુત્પત્તિવાદ : ૯
(ક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org