________________
सकर्मकत्वव्यवहार:- फलान्वितव्यापारबोधक धातुत्वस्यैव
तन्नियामकत्वात् । ભાવાર્થ : પૂર્વપક્ષઃ આકાંક્ષા એટલે તો સમભિવ્યાહાર- પાસે પાસે હોવું તે જ. તે તો જે
રીતે દ્વિતીયાની ચમ્ ધાતુ સાથે છે. તે રીતે અન્દ્ર વિ. ધાતુ સાથે પણ
હોઈ જ શકે છે.૧ ઉત્તરપક્ષ : દ્વિતીયાના વિ. ધાતુસાથેના સમભિવ્યાહારથી અન્વયબોધ સ્વરૂપ
ફળની પ્રાપ્તિ થતી હોવાથી અન્વયબોધ સ્વરૂપ ફળ પ્રત્યે દ્વિતીયાના
મ્ વિ. ધાતુ સાથેના સમભિવ્યાહારની કારણતા સ્વીકારાઈ છે. પરંતુ દ્વિતીયાના અન્યૂ વિ. ધાતુ સાથેના સમભિવ્યાપારમાં અન્વયબોધની કારણતા સ્વીકારાઈ નથી અને તેથી તે સમભિવ્યાહાર આકાંક્ષા સ્વરૂપ બનશે નહીં કારણકે અન્વયબોધમાં કારણ બનનાર સમભિવ્યાહાર જ આકાંક્ષા સ્વરૂપ બને છે. આ જ કારણથી મ વિ. ધાતુઓ ગમ્ વિ. ને સમાનાર્થક હોવા છતાં સકર્મક નથી, કારણ કે ફલાન્વિતવ્યાપારબોધક
ધાતુ જ સકર્મક છે એવો નિયમ છે. વિવેચન : (૧) જે પદોની આકાંક્ષા હોય, તે પદોથી ઉપસ્થાપિત અર્થનો જ પરસ્પર
અન્વય થાય, એમ કહ્યું, આથી પૂર્વપક્ષ કહે છે કે આકાંક્ષા એટલે સમભિવ્યાહાર – પાસે પાસે હોવું. તે તો ની જેમ સ્પર્ ધાતુ સાથે પણ દ્વિતીયાનો હોઈ જ શકે, તો પછી દ્વિતીયાની અન્દ્ર સાથે પણ આકાંક્ષા થવાથી, ગ્રામ પદ્તે એવો પ્રયોગ પણ થશે, અને ત્યાં
દ્વિતીયાર્થ અને સ્પન્દનો અન્વય પણ થશે. (૨) આકાંક્ષા એટલે માત્ર સમભિવ્યાહાર નહીં. પણ અન્વયબોધમાં કારણ
એવો સમભિવ્યાહાર અને જ્યાં શાબ્દબોધ થાય ત્યાં શાબ્દબોધ સ્વરૂપ
ફળના બળથી જ તે માની લેવાનો છે. બાકી સ્પષ્ટ છે. (૩) મ્ અને બંનેનો અર્થ એક જ હોવા છતાં મેં સકર્મક અને સ્પર્
અકર્મક, આવો ભેદ શાથી ? તો કહે છે કે જે ધાતુમાં ફલાવિતવ્યાપારબોધકત્વ હોય તે સકર્મક એવો નિયમ છે. અન્ ધાતુ, સ્પન્દ રૂપ વ્યાપારની બોધક છે, પણ તે સ્પન્દનું કોઈ ફળ હોતું નથી, તેથી તેમાં કોઈ ફળનો અન્વય પણ થતો નથી.
વ્યુત્પત્તિવાદ # ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org