________________
૧૮૦.
'पुष्पमाघ्रायते' इत्यादौ च निरुक्तप्रकारत्वमाख्यातार्थः, आश्रयतासंबन्धेन पुष्पाद्यन्विते तस्मिन् धात्वर्थप्रत्यक्षस्य निरुपितत्वसंबन्धेन तद्विशेषणताऽऽपन्नगन्धविषयितायाश्च निरुपितत्वसंबन्धेनान्वयः । પુષ્પપ્રાય વિ. માં નિરુકતપ્રકારતા એ આખ્યાતાર્થ છે. તેનો આશ્રયતા સંબંધથી પુષ્પમાં અન્વય થાય છે. ધાત્વર્થ પ્રત્યક્ષનો તેમાં પ્રકારતામાં) નિરૂપિતત્વ સંબંધથી, ધાત્વર્થમાં વિશેષણ ગન્ધવિષયિતાનો પણ તેમાં
(પ્રકારતામાં) નિરુપિતત્વ સંબંધથી અન્વયે થશે. વિવેચનઃ એટલે ગધવિષયિતાનિરપિત, ગન્ધવિષયકપ્રત્યક્ષ નિરૂપિત પ્રકારતાશ્રય
પુષ્પ – એવો અન્વય બોધ થશે. (અહીં પ્રત્યક્ષ નિરૂપિત પ્રકારતા એટલે જ્ઞાન નિરુપિત પ્રકારતાત્મક વિષયતા અને ગન્ધવિષયિતાનિરૂપિત પ્રકારતા એટલે ગંધ નિરૂપિત જ્ઞાનનિષ્ઠવિષયિતા નિરૂપિત પ્રકારતાત્મક વિષયતા થશે.)
૨૮. एकर्मिविशेषणतयोपस्थितस्य स्वातन्त्र्येणान्यविशेषणतयाऽन्वय
बुद्धेरेवाव्युत्पन्नत्वात्, अत्र च प्रत्यक्षपारतन्त्र्येणैव गन्धविषयिताया आख्यातार्थेऽन्वयेन व्युत्पत्तिविरोधविरहात् । એક ધર્મીના વિશેષણરૂપે ઉપસ્થિત થયેલાનો સ્વતંત્રપણે અન્ય ધર્મીના વિશેષણરૂપે અન્વય જ અવ્યુત્પન્ન છે. અહીં તો, પ્રત્યક્ષના પારતંત્ર્યથી જ ગન્ધવિષયિતાનો આખ્યાતાર્થ (પ્રકારતા)માં અન્વય થતો હોવાથી
વ્યુત્પત્તિનો કોઈ વિરોધ નથી. વિવેચનઃ કર્મણિ પુષ્પમાપ્રાયતે સ્થળમાં ધાત્વર્થંકદેશ ગન્ધવિષયિતા, ધાત્વર્થ પ્રત્યક્ષ
અને આખ્યાતાર્થ પ્રકારતા, બેમાં વિશેષણ બને છે. સામાન્યથી, એક પદાર્થ, એક પદાર્થનું જ વિશેષણ બની શકે, સ્વતંત્રપણે બેનું નહીં. પણ અહીં વિયિતા, પ્રથમ વિશેષ્ય પ્રત્યક્ષ દ્વારા જ બીજા વિશેષ્ય પ્રકારતાનું વિશેષણ બને છે. કારણ કે પ્રકારતા, જ્ઞાનનિરૂપિત હોવાથી જ વિષયિતાનિરૂપિત બને છે. આમ વિષયિતા, ધર્મીના પાતંત્ર્યથી જ ફરીવાર અન્વિત થાય તો કોઈ વિરોધ નથી.
વ્યુત્પત્તિવાદ # ૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org