________________
૮૨.
વિવેચનઃ
अस्तु वा गन्धो लौकिकविषयिता प्रत्यक्षं च विशकलितमेव धातोरर्थः । कर्त्राख्यातादिसमभिव्याहारे गन्धविषयितायाः प्रत्यक्षविशेषणतया कर्माख्यातसमभिव्याहारस्थले च प्रत्यक्षविशेष्यतयाऽन्वय इति न कश्चिद् दोषः । जिघ्रत्यर्थगन्धविषयितानिरूपकत्वमेव पुष्पादिनिष्ठं जिघ्रतिकर्मत्वमिति दिक् ।
અથવા, ધાતુના ગંધ, લૌકિકવિષયિતા અને પ્રત્યક્ષ એ ત્રણ જુદા જુદા અર્થ માનવા. કર્તરિ આખ્યાત હોય ત્યાં ગન્ધવિયિતાનો પ્રત્યક્ષમાં વિશેષણરૂપે અને કર્મણિમાં તે વિષયિતાનો જ પ્રત્યક્ષના વિશેષ્યરૂપે અન્વય (એટલે કે પ્રત્યક્ષનો વિષયિતામાં અન્વય) થશે. એટલે કોઈ દોષ નથી.
નિપ્રતિ ના અર્થ ગન્ધવિષયિતાનું નિરુપકત્વ એ જ પુષ્પમાં રહેલું કર્મત્વ છે.
જેઓ ધર્મીના પારતંત્ર્યથી પણ એકત્ર વિશેષણ બનેલાનો અન્યત્ર વિશેષણરૂપે અન્વય સ્વીકારતા નથી. તેમને ઉક્ત સ્થળે શાબ્દબોધની ઉપપત્તિ માટે કહે છે. વિષયિતાનો પ્રત્યક્ષ અને પ્રકારતામાં એમ બે વાર અન્વય ન કરવો હોય, તો વિષયિતાને જ્ઞાનનું વિશેષ્ય બનાવીને જ તેનો અન્વય પ્રકારતામાં કરી દેવો. એ માટે ધાતુની જુદી જુદી શક્તિ વિષયિતા અને જ્ઞાનમાં માનવી પડે જેથી કર્મણિમાં વિયિતા એ પ્રત્યક્ષનું વિશેષ્ય બની શકે. એટલે કર્મણિ સ્થળે, ધાત્વર્થ પ્રત્યક્ષનો વૃત્તિતા સંબંધથી અને ધાત્વર્થ ગંધનો નિરુપિતત્ત્વ સંબંધથી, ધાત્વર્થ વિષયિતામાં અન્વય થશે. તેનો નિરુપિતત્ત્વ સંબંધથી આખ્યાતાર્થ પ્રકારતામાં અને પ્રકા૨તાનો આશ્રયતા સંબંધથી પુષ્પમાં અન્વય થશે. આમ પ્રત્યક્ષવૃત્તિ ગંધવિષયિતા નિરુપિત પ્રકારતાશ્રયઃ પુષ્પમ્ એવો અન્વયબોધ થશે. કર્તરિ સ્થળે ગંધનો નિરુપિતત્વ સંબંધથી વિયિતામાં અને તેનો આશ્રયતા સંબંધથી પ્રત્યક્ષમાં અન્વય થશે. પુષ્પ પદોત્તર દ્વિતીયાર્થ પ્રકારતાનો નિરુપિતત્ત્વ સંબંધથી વિષયિતામાં અન્વય થશે. એટલે પુષ્પવૃત્તિપ્રકારતાનિરુપિત, ગંધનિરુપિત વિષયિતાશાલિપ્રત્યક્ષાકાયઃ એવો બોધ થશે, આખ્યાતાર્થ આશ્રયતા છે.
(અહીં પ્રશ્ન એ થાય કે, વિષયિતાનો પ્રકારતામાં અન્વય ન કરીએ, માત્ર જ્ઞાનનો કરીએ તો ન ચાલે ? તો તેનો ઉત્તર એ છે કે, પુષ્પવૃત્તિ:
વ્યુત્પત્તિવાદ * ૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org