________________
પછી ત્યાં રમ્પ નિતિ પ્રયોગ નહીં થઈ શકે. કારણ કે પ્રકૃત્યર્થ
ચંપકનો દ્વિતીયાર્થ પ્રકારતામાં અન્વય નહીં થાય. સમાધાન : તાદેશ સ્થળે, તેવો પ્રયોગ માન્ય જ ન હોવાથી કોઈ આપત્તિ નથી.
૨૭૮, यत्तु आधेयतामात्रं द्वितीयार्थो न तु समवायावच्छिनत्वविशेषितमाधेयत्वम्,
तथा च मुखादिसंसृष्टमृत्तिकादिगन्धे परम्परासंबन्धेन मुखादिवृत्तित्वस्य सत्त्वान्न तादृशस्थलेऽनुपपत्तिरिति । કેટલાક કહે છે કે, દ્વિતીયાર્થ આધેયતા જ છે. સમવાય અવચ્છિન્ન આધેયતા નહીં. એટલે મુખસંસૃષ્ટ માટીની ગંધમાં પરંપરા સંબંધથી
મુખવૃત્તિત્વ પણ રહ્યું હોવાથી, તાદશસ્થળમાં પણ અનુપપત્તિ નથી. વિવેચનઃ દ્વિતીયાર્થ વૃત્તિતા કરવામાં, ‘તવાનાં.' વિ. સ્થળે અવ્યાનુપપત્તિ
છે, તેનો પરિહાર કેટલાક એ રીતે કરે છે કે તે વૃત્તિતા સમવાયાવચ્છિન્ન ન લેવી, વૃત્તિતા સામાન્ય લેવી. તદ્દાનન... સ્થળે, પ્રત્યક્ષવિષયગંધ, સમવાયથી મુખવૃત્તિ ન હોવા છતાં; સ્વસમવાય સંયુક્તત્વ સંબંધથી મુખવૃત્તિ છે જ (સ્વ = ગંધ, સમવાય = ગંધાશ્રય માટી, તત્સંયુક્ત = મુખ) એટલે મુખવૃત્તિતાનો અન્વય ગંધમાં થઈ જશે અને અન્વય બોધ થઈ જશે. તેને માટે દ્વિતીયાર્થ પ્રકારતા કરવાની જરૂર નથી.
१७९. तदसत् - तथा सति 'कालं जिघ्रति' इतिप्रयोगस्य दुर्वारत्वात् ।
તે બરાબર નથી. કારણ કે તો પછી વાર્તા નિપ્રતિ પ્રયોગ પણ થશે જ. વિવેચનઃ દ્વિતીયાર્થ, વૃત્તિતા સામાન્ય જ કરવામાં આવે, તો “ફાનતા પુણે ધ:'
એવા પ્રત્યક્ષ સ્થળે, પણ ઋત્તિ નિવ્રુતિ પ્રયોગની આપત્તિ આવશે, કારણ કે કાલમાં પણ કાલિક સંબંધથી ગંધની વૃત્તિતા મળશે જ અને કાલપદોત્તર દ્વિતીયાના અર્થ વૃત્તિતાનો અન્વય ધાત્વર્થંકદેશ ગંધમાં થઈ જશે. એટલે, દ્વિતીયાર્થ સમવાયસંબંધાવચ્છિન્ન આધેયતા જ કરવો પડે. જેથી કાલમાં સમવાય સંબંધથી ગંધ ન હોવાથી તે આપત્તિ ન આવે. પણ તેમ કરવા જતાં ‘તીનનં.' વિ. સ્થળે પાછી અન્વયની અનુપપત્તિ થશે, કારણ કે, પ્રત્યક્ષવિષય ગંધ, સમવાયસંબંધથી મુખમાં નથી. એટલે દ્વિતીયાર્થ ઉક્તપ્રકારતા જ કરવો જેથી બધી આપત્તિનું વારણ થઈ જશે.
વ્યુત્પત્તિવાદ ૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org