________________
ઉત્તરપક્ષ ના, કારણ કે વિષયથી અનવચ્છિન્ન તાદશ (સવિષયક જ્ઞાનાદિ) અર્થને
જણાવનાર ધાતુના સમભિવ્યાપારમાં જ દ્વિતીયા (કર્મપ્રત્યય)નો અર્થ વિષયિત્વ થાય એવો જ નિયમ છે. અહીં, પ્રા ધાતુ તો ગંધ રૂપ વિષયથી અવચ્છિન્ન પ્રત્યક્ષ (જ્ઞાન)ની વાચક હોવાથી (એટલે તેને તે નિયમ લાગતો જ ન હોવાથી તેના સમભિવ્યાપારમાં દ્વિતીયાર્થ
વિષયિત્વને બદલે વૃત્તિત્વ કરીએ તો પણ) નિયમનો ભંગ નહીં થાય. વિવેચનઃ પ્રા ધાત્વર્થ ગંધલૌકિકપ્રત્યક્ષ છે, એટલે વિષય ગંધ, ધાત્વર્થતાવચ્છેદક
બની જાય છે. શેષ સ્પષ્ટ છે.
१७३. न च घ्राघातुसमभिव्याहृतद्वितीयाया गन्धान्विताधेयत्वार्थकत्वे
'आमोदमुपजिघ्रति' इत्यादेरनुपपत्तिः - गन्धविशेषरूपामोदपदार्थाऽऽधेयत्वस्य गन्धे बाधादिति वाच्यम्, विषयावच्छिन्नप्रत्यक्षार्थकघ्राधातुसमभिव्याहतद्वितीयाया एवाधेयतार्थकत्वनियमात्, तत्र विषयानवच्छिनस्यैव प्रत्यक्षविशेषस्य लक्षणया घ्राधात्वर्थतोपगमेन
विषयिताया एव तदर्थत्वात्। શંકા : જો પ્રા ધાતુસમભિવ્યાહત દ્વિતીયાર્થ, ધાત્વર્થંકદેશ ગંધમાં અન્વિત
આધેયતા હોય તો ગામોમુનિદ્ગતિ પ્રયોગ અનુપપન્ન થશે, કારણ કે, આમોદ એ ગંધવિશેષ જ હોવાથી, તનિરૂપિત આધેયત્વ ગંધમાં રહી
ન શકે. સમાધાન : વિષયાવચ્છિન્ન પ્રત્યક્ષાર્થક પ્રા ધાતુસમભિવ્યાહત દ્વિતીયાનો અર્થ જ
આધેયતા છે. આમોદમુનિપ્રતિ સ્થળે, પ્રા ધાતુનો અર્થ લક્ષણાથી પ્રત્યક્ષવિશેષ (પ્રાણજ પ્રત્યક્ષ, ગંધ રૂપ વિષયથી અવચ્છિન્નપ્રત્યક્ષ નહીં) મનાયો હોવાથી દ્વિતીયાનો અર્થ (આધેયતા નહીં, પણ) વિષયિતા
જ છે. વિવેચનઃ આમોદ એટલે સુગંધ. જો ધ્રા ધાત્વર્થ ગંધપ્રત્યક્ષ હોય અને દ્વિતીયાર્થ
વૃત્તિતા હોય, તો સુગંધમાં ગંધ ન રહેતી હોવાથી મનોવૃત્તિ એવો અન્વય શક્ય ન હોવાથી, ગામોમુનિવૃતિ પ્રયોગ ન થાય, એ શંકાકારનો આશય છે.
વ્યુત્પત્તિવાદ * ૧૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org