________________
સુપ વનમ્ સ્થળે ગંધનું ચાક્ષુષ તો થતું નથી. પણ ચંદનનું ચાક્ષુષ પ્રત્યક્ષ થયા પછી એ જ્ઞાન જ, અલૌકિક – જ્ઞાનલક્ષણાસંનિકર્ષ બનીને સુરભિગંધનું અલૌકિક પ્રત્યક્ષ કરાવે છે, જેથી “સુરમ વન્દનમ્' એવું
જ્ઞાન થાય છે. એટલે સુરભિગંધમાં, અલૌકિકવિષયતા આવે છે. શંકા : એ વખતે ચંદનને જોઈ રહેલ વ્યક્તિનું વર્ણન કરવા માટે સુપ વન્દ્રને
પતિ એવો પ્રયોગ થશે. ત્યાં સુખ પદોત્તર દ્વિતીયાનો અર્થ શું
કરશો? સમાધાન : ત્યાં સુઈમ પદ, સુગંધનું નહીં પણ, સુગંધવાન્ એવા દ્રવ્યનું વાચક છે.
(જેમ ગુસ્સ: પટના સ્થળે, સુવર્ પદ સફેદ દ્રવ્યનું વાચક છે.) સુરખ પદના અર્થ સુગંધીનો ચંદનમાં અભેદાન્વય થશે. સુરભિ પદોત્તર દ્વિતીયા માત્ર તાત્પર્ય ગ્રાહક છે.
૬૮. अथैवम् 'पुष्पं जिघ्रति' इत्यादि प्रयोगानुपपत्तिः - घ्राणजप्रत्यक्षस्य
पुष्पाद्यंशे लौकिकत्वविरहात्, પૂર્વપક્ષ: પણ તો પછી, “પુષ્ય નિવૃતિ' પ્રયોગની અનુપત્તિ થશે, કારણ કે
પ્રાણજપ્રત્યક્ષ, પુષ્પાંશમાં લૌકિક નથી હોતું. વિવેચનઃ જો ચાક્ષુષાદિવાચક ધાતુસમભિવ્યાહત દ્વિતીયાર્થ લૌકિક વિષયિતા જ
હોય, તો પુષ્પ નિપ્રતિ માં પ્રા ધાતુ પ્રાણજવાચક હોવાથી, પુષ્પ પદોત્તર દ્વિતીયાર્થ લૌકિક વિષયિતા થશે. પણ ન્યાયમતે, ગંધનું જ પ્રાણપ્રત્યક્ષ મનાયું છે, ગંધયુક્ત દ્રવ્યનું નહીં એટલે, પુષ્પમાં ઘાણજલૌકિકવિષયિતા શક્ય નથી. એટલે પુષ્ય પદની ઉત્તરમાં દ્વિતીયા ન થવાથી પુષ્પ નિવૃતિ પ્રયોગ થઈ નહીં શકે. એ આપત્તિ આવશે. અહીં સૂંઘનાર વ્યક્તિ પુષ્પને જોઈ રહી હોય તો તેનું ચાક્ષુષ પ્રત્યક્ષ થવાથી તેમાં ચાક્ષુષલૌકિકવિયતા આવે. આંખ બંધ કરીને સુંઘે તો પુષ્પ દેખાતું નથી. પણ ગંધનું પ્રાણપ્રત્યક્ષ થયા પછી તે જ્ઞાન જ અલૌકિક-જ્ઞાનલક્ષણા સંનિકર્ષ બનીને, પુષ્પનું અલૌકિક પ્રત્યક્ષ કરાવે છે, જેથી “પુષ્પવૃત્તિ: ધ:' એવું જ્ઞાન થાય છે. ત્યારે પુષ્પમાં અલૌકિકવિષયતા આવે છે.
વ્યુત્પત્તિવાદ * ૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org