SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા : शाब्दबोधसंभवात् तदर्थमात्रतात्पर्येण 'स्वं गच्छति' इति प्रयोगो दुर्वार एवेति वाच्यम, સ્વનિષ્ઠસંયોગજનક અને સ્વસમવેત એવી ક્રિયામાં, સ્વભિન્નસમતત્વ અસંભવિત હોવાથી તેનું જ્ઞાન ન થઈ શકે, પણ (તે ક્રિયામાં) સ્વનિષ્ઠસંયોગજનકત્વ તો છે જ, તો તેને વિષય બનાવીને શાબ્દબોધ થઈ શકે, અને તેવા તાત્પર્યથી “ Tછત' પ્રયોગ પણ થઈ શકે. વિવેચનઃ દ્વિતીયાની શક્તિ તો વિષયતા, વૃત્તિતા વિ. અનેક અર્થમાં છે. દરેક વખતે, દરેક અર્થનો બોધ થતો નથી. એટલે “d Tછત' સ્થળે દ્વિતીયાર્થ માત્ર વૃત્તિતા કરીને વાક્યનો અર્થ સ્વનિષ્ઠસંયોગજનક સ્પદ એટલો જ કરે અને દ્વિતીયાથી પરમતત્વનો બોધ જ ન કરે તો એવા અર્થના તાત્પર્યથી “વું છતિ' પ્રયોગની આપત્તિ ઉભી જ રહે છે, એ શંકા છે. १४९. परसमवेतत्वांशाविषयकस्य द्वितीयाऽधीनफलजनकत्वबोधस्य कुत्राप्यनभ्युपगमेन तादृशबोधे तद्भासकसामण्या अप्यपेक्षणीयत्वात् । સમાધાન : ના. પરમતત્વ જેનો વિષય બનતો નથી, તેવો દ્વિતીયાને આધીન ફળજનકત્વનો બોધ ક્યાંય થઈ શકતો જ નથી. એટલે સ્વનિષ્ઠસંયોગજનકત્વ બોધ માટે સ્વભિન્નસમવેતત્વ બોધક સામગ્રી જરૂરી હોવાથી જ માત્ર સ્વનિષ્ઠસંયોગજનકત્વના બોધના તાત્પર્યથી પણ સ્વ છતિ પ્રયોગ થઈ શકે નહીં. વિવેચનઃ જ્યારે દ્વિતીયાને આધીન ફળજનકત્વનો બોધ કરવો હોય, ત્યારે પરસમવતત્વનો બોધ થાય જ, એવો નિયમ છે... એટલે, દ્વિતીયાધીન ફળજનકત્વના બોધ માટે પરસમવેતત્વની ઉપસ્થિતિ, તેના બોધનું તાત્પર્ય જ્ઞાન વિ. રૂપ સામગ્રી પણ કારણ છે. તેની ગેરહાજરીમાં ફળજનત્વનું જ્ઞાન ન થાય. માટે, દ્વિતીયાથી પરસમવેતત્વની ઉપસ્થિતિ કર્યા વિના, માત્ર સ્વનિષ્ઠસંયોગજનકત્વનો બોધ તો 4 તિથી થાય નહીં. અને જો પરમતત્વ ઉપસ્થિત થઈ જ ગયું, તો તેનો ક્રિયામાં અન્વયે પૂર્વોકત (નં. ૧૪૭) રીતે બાધિત હોવાથી શાબ્દબોધ ન થાય. આમ કોઈપણ રીતે સ્વં છત પ્રયોગ ન થઈ શકે. વ્યુત્પત્તિવાદ – ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy