________________
વિવેચન પ્િ ની જુદી જુદી શક્તિ જ કર્તૃત્વ અને વ્યાપારમાં માનવી. હવે કર્તૃત્વ પણ પદાર્થ થશે અને તેમાં તૃતીયાર્થ કૃતિનો અભેદાન્વય થવામાં કોઈ આપત્તિ નહીં રહે. કર્તૃત્વનિર્વાહકવ્યાપાર એવું વિશિષ્ટ જ્ઞાન અન્વયથી (આકાંક્ષાથી) જ થશે. તેમાં શક્તિ માનવાની જરૂર નથી. (નિર્વાહકત્વ સંબંધથી કર્તૃત્વનો વ્યાપારમાં અન્વય થશે.) આ રીતે, માત્ર ચૈત્રને પ્રેરણા થતી હોય ત્યારે મૈત્રેળાનં પાન્નયતિ પ્રયોગની આપત્તિ નહીં આવે અને અસ્વતંત્ર કર્તા પ્રેરક ધાત્વર્થના ફળરૂપ કર્તૃત્વનો આશ્રય બનવાથી તેને કર્મસંજ્ઞા પણ થશે.
केचित्तु
૨૬.
:
શંકા :
अनुकूलव्यापार एव णिजर्थ:, तदन्वयिनी गमनज्ञानभोजनादिक्रियैव धात्वर्थतावच्छेदकं फलम्, तत्संबन्धिनस्तादृशक्रियाकर्तुर्ण्यन्तकर्मता, तादृशक्रियासंबन्धश्चाऽऽश्रयत्वकृत्तिमत्त्वाद्यन्यतमो ग्राह्यः, अतो गमनादिसंबन्धिकालादौ नातिप्रसङ्ग ત્યાદુ: ।
કેટલાક એમ કહે છે કે અનુકૂળવ્યાપાર જ નર્થ છે. તેમાં અન્વિત થતી ગમનાદિ ક્રિયા (જે શુદ્ધ ધાત્વર્થ છે) જ (ખિન્ત) ધાત્વર્થતાવચ્છેદક ફળ છે. તે ફળનો સંબંધી એવો તે ક્રિયાનો કર્તા એ જ ખિનન્ત નું કર્મ બને. અહીં તે ફળરૂપ ક્રિયાનો સંબંધ કૃતિમત્ત્વ/આશ્રયત્વ વિ. રૂપ લેવો એટલે ગમનાદિ ક્રિયાના સંબંધી કાળ વિ. માં અતિવ્યાપ્તિ ન થાય.
વિવેચન : કેટલાક નિર્થ કૃતિનિર્વાહક વ્યાપાર ન માનતાં, માત્ર અનુકૂળવ્યાપાર માને છે. ધાત્વર્થ જે ગમનાદિક્રિયા છે. તે તેમાં અન્વિત થાય છે. અને તેથી તે જ, બિનન્ત ધાતુનું અર્થતાવચ્છેદક ફળ બની જાય છે. વળી તે ક્રિયાનો કર્તા જ ફળનો સંબંધી હોવાથી, ખિન્ત ધાતુનું કર્મ બને છે એટલે મૈત્રમાં પાવત્તિ પ્રયોગ થઈ શકે છે.
ફળનો સંબંધી તો કાલિક સંબંધથી કાલ વિ. પણ બને અને તો તેને પણ કર્મ માનવાની આપત્તિ આવશે.
સમાધાન ઃ તે સંબંધ જ્ઞાનાદિ-અર્થક ધાતુ સ્થળે આશ્રયત્વ, ભોજનાદિ અર્થક ધાતુ સ્થળે કૃતિમત્ત્વ વિગેરે રૂપ જ લેવો. એટલે કાળમાં તેવું સંબંધિત્વ ન હોવાથી દ્વિતીયાની આપત્તિ નહીં આવે.
વ્યુત્પત્તિવાદ * ૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org