________________
૧૪.
શંકા :
न च कारकविभक्त्यर्थस्य धात्वर्थे एवान्वयनियमात् प्रत्ययोपस्थाप्यसंयोगे कथं ग्रामादिवृत्तित्वान्वय इति वाच्यम्, 'भूतले घटः' इत्यादौ घटादिपदार्थे प्यधिकरणसप्तम्यर्थान्वयात् तादृशनियमासिद्धेः । अस्तु वा धात्वर्थतावच्छेदकतावच्छेदकतया भासमाने संयोगे एव तदन्वयः ।
કારકવિભકત્યર્થનો ધાત્વર્થમાં જ અન્વય થાય, એવો નિયમ છે. તો પ્રત્યય (આખ્યાત)થી ઉપસ્થાપિત સંયોગમાં ગ્રામાદિવૃત્તિત્વ (દ્વિતીયાર્થ)નો અન્વય શી રીતે થાય ?
સમાધાન : ‘ભૂતને ધટ' માં અધિકરણસપ્તમી છે તે પણ કારક વિભક્તિ જ છે. તેનો અર્થ વૃત્તિત્વ કરીને તેનો અન્વય ઘટમાં કરાય છે જ, એટલે તેવો (કારકવિભકત્યર્થનો અન્વય ધાત્વર્થમાં જ થાય તેવો) નિયમ જ નથી. અથવા, ધાત્વર્થતાવચ્છેદકતાવચ્છેદક રૂપે જણાતાં સંયોગમાં જ તેનો અન્વય કરવો.
૬૫.
:
વિવેચન : ઉ૫૨, અના પ્રામં નીયતે માં, ગ્રામ પદોત્તર દ્વિતીયાર્થ વૃત્તિત્વનો અન્વય, આખ્યાતાર્થ સંયોગાવચ્છિન્ન ક્રિયાના વિશેષણભૂત સંયોગમાં કર્યો છે. તેથી શંકા કરી છે. સમાધાન સ્પષ્ટ છે.
કોઈ એમ કહે કે ભૂતતે ઘટઃ સ્થળે અસ્તિ એવો અધ્યાહાર કરીને, ભૂતલ પદોત્તર સપ્તમીના અર્થ અવચ્છિન્નત્વનો અન્વય, જ્ઞસ્ ધાત્વર્થ અસ્તિત્ત્વમાં કરીને ભૂતલાવચ્છિન્ન અસ્તિત્ત્વવાન્ ઘટઃ એવો બોધ થાય છે. આ રીતે ઉકત નિયમનો ભંગ ન કરવાનો આગ્રહ હોય તો અથવા દ્વારા અન્ય રીતે સમાધાન આપે છે.
તે ગ્રામવૃત્તિત્વનો અન્વય, આખ્યાતાર્થના વિશેષણ ભૂત સંયોગમાં ન કરતાં ધાત્વર્થ સંયોગજનક ક્રિયાનુકૂલવ્યાપારમાં રહેલા સંયોગમાં કરવો, જે ધાત્વર્થતાવચ્છેદકતાવચ્છેદક છે. હવે કહેલા નિયમનો ભંગ નહીં થાય.
फलव्यापारयोः पृथक् शक्तिमते चाश्रयत्वमेवात्मनेपदार्थः, संयोगावच्छिन्नक्रियारूपधात्वर्थ एव व्यापाररूपधात्वर्थविशेष्यतया आश्रयत्वविशेषणतया चान्वेति तदेकदेशे संयोगे एव ग्रामादिवृत्तित्वान्वयः, चैत्रीयकृतिजन्यव्यापारजन्यग्रामवृत्तिसंयोगानुकूलक्रियाश्रयोऽजादिरित्याकारको बोधः ।
વ્યુત્પત્તિવાદ * ૯૮
Jain Education International
,
For Private & Personal Use Only
www.jainelibrary.org