________________
જ્ઞાન, શબ્દ રૂપ ધાત્વર્થનું પરંપરાએ વિશેષણ બનવાથી તદાશ્રયભૂત ગુરુ, ગૌણ કર્મ બનશે. ધર્મ ધાત્વર્થનો વિષય હોવાથી પ્રધાન કર્મ છે. તેમ જ્ઞાનોદેશ્યકપ્રવૃજ્યધીન શબ્દ, ટૂ ધાત્વર્થ છે. જ્ઞાનમાં શિષ્યવૃત્તિત્વનો
અને શબ્દમાં ધર્મવિષયકત્વનો અન્વય થશે. વિવેચનઃ પ્રર્જી ધાત્વર્થ જિજ્ઞાસા જ્ઞાનોદેશ્યક પ્રવૃજ્યધીન શબ્દ કરવાથી અને
ચૈત્રપદોત્તર દ્વિતીયાર્થ વૃત્તિતાનો અન્વય જ્ઞાનમાં કરવાથી હવે ચૈત્રને જ્ઞાન કરવાના ઉદ્દેશથી પૂછશે ત્યારે મૈત્રને જ્ઞાન થશે તો પણ. મૈત્ર પૃષ્ઠતિ પ્રયોગની આપત્તિ નહીં આવે કારણ કે મૈત્રજ્ઞાનોદ્દેશ્યક પ્રવૃત્તિ નથી. તેમ ટૂ ધાત્વર્થ જ્ઞાનોદ્દેશ્યક પ્રવૃજ્યધીન શબ્દ કરવાથી અને ચૈત્રપદોત્તર દ્વિતીયાર્થ વૃત્તિતાનો અન્વય જ્ઞાનમાં કરવાથી ચૈત્રને કહેતી વખતે મૈત્રને જ્ઞાન થાય તો પણ મૈત્રે કૂતે પ્રયોગની આપત્તિ નહીં આવે, કારણ કે મૈત્રને જ્ઞાન કરાવવાનો ઉદ્દેશ નથી. વળી બંનેમાં, જ્ઞાન, ધાત્વર્થ શબ્દનું પરંપરાએ વિશેષણ બનશે (સાક્ષાત્ વિશેષણ પ્રવૃત્તિ છે) એટલે જ્ઞાનાશ્રય, ગુરુ અને શિષ્ય, ગૌણ કર્મ બનવાથી, કર્મણિ સ્થળે, આખ્યાત દ્વારા તેમનામાં રહેલ કર્મત્વનો બોધ થશે અને તેમને પ્રથમા થશે. પૃથ્યને ગુરુધર્મ, શિષ્ય ૩mતે ધર્મ, પ્રયોગ થઈ શકશે. બંને સ્થળે, ધર્મ પદોત્તર દ્વિતીયાર્થ વિષયકત્વ થઈને ધાત્વર્થ શબ્દમાં અન્વિત થશે એટલે ધર્મ એ પ્રધાન કર્મ થશે. શબ્દ સવિષયક પદાર્થ ન હોવાથી તેમાં વિષયકત્વનો અન્વય ન થાય, પણ, ધાત્વર્થમાં રહેલ કૃતિ (પ્રવૃત્તિ)એ સવિષયક પદાર્થ છે એટલે કૃતિમાં વિષયનો અન્વય થઈને કૃતિનો જન્યત્વ સંબંધથી શબ્દમાં અન્વય થાય. એટલે શબ્દમાં વિષયકત્વ પરંપરાએ - કૃતિ દ્વારા અન્વિત થશે.
ધ પૃષ્ઠતિ સ્થળે, શાબ્દબોધનો આકાર થશે, ગુરુવૃત્તિ એવું જે જિજ્ઞાસાજ્ઞાન, તદુદ્દેશ્યક પ્રવૃત્તિ-અધીન ધર્મવિષયક-શબ્દઅનુકૂળકૃતિમાનું, શિષ્ય ધર્મ વૂતે સ્થળે, શાબ્દબોધનો આકાર થશે, શિષ્યવૃત્તિ જ્ઞાનોદ્દેશ્યક-પ્રવૃજ્યધીન-ધર્મવિષયકશબ્દાનુકૂળકૃતિમાનું.
વ્યુત્પત્તિવાદ * ૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org