________________
કરીને જ્ઞાનમાં અન્વય કરવો. ધર્મનું જ્ઞાન થાય એટલે ધર્મ પદોત્તર દ્વિતીયાનો અર્થ વિષયકત કરીને જ્ઞાનમાં અન્વય કરવો. એટલે શિષ્યવૃત્તિ એવું જે ધર્મવિષયક જ્ઞાન, તદનુકૂળવ્યાપાર અનુકૂળકૃતિમાનું એવો શાબ્દબોધ થશે.
૨૦૬. तन्न चारुतरम्-तथा सति यत्र जिज्ञासाविषयकचैत्रज्ञानेच्छया
प्रश्नस्तादृशशब्दाच्च सामग्रीबलेन मैत्रस्यापि पृच्छकजिज्ञासाज्ञानं तत्र 'मैत्रं पृच्छति' इतिप्रयोगस्य, एवं यत्र चैत्रज्ञानेच्छया ब्रूते दैववशाच्च मैत्रस्यापि ज्ञानं तत्र 'मैत्रं ब्रूते' इतिप्रयोगस्य चापत्तेः । એ બંને અર્થ બરાબર નથી. કારણ કે ચૈત્રને મારી જિજ્ઞાસાનું જ્ઞાન થાઓ એવી ઇચ્છાથી પ્રશ્ન કરે અને તે શબ્દોથી મૈત્રને પણ પ્રશ્નકર્તાની જિજ્ઞાસાનું જ્ઞાન થઈ જાય, તો મૈત્રે પૃચ્છતિ પ્રયોગની આપત્તિ આવે. તેમ ચૈત્રને જ્ઞાન કરાવવાની ઇચ્છાથી બોલે અને મૈત્રને પણ જ્ઞાન થઈ
જાય, તો મૈત્રે ઝૂતે પ્રયોગની આપત્તિ આવે. વિવેચનઃ પ્રર્જી ધાત્વર્થ જિજ્ઞાસાબોધકવ્યાપાર માન્યો અને જેને પૂછાય છે, તે
ગુરુ વિ. પદોત્તર દ્વિતીયાનો અર્થ વૃત્તિત્વ કરીને તેનો અન્વય બોધમાં કર્યો. તેમાં આપત્તિ એ આવે છે કે ચૈત્રને પૂછતી વખતે, બાજુમાં રહેલ મૈત્રને પણ જો પ્રશ્નકર્તાની જિજ્ઞાસાનું જ્ઞાન થાય, તો મૈત્ર પદોત્તર દ્વિતીયાર્થ વૃત્તિત્વ કરીને તેનો અન્વય પણ બોધમાં કરી શકાશે, એટલે મૈત્રે પૃચ્છતિ પ્રયોગની આપત્તિ આવે. જ્યારે વાસ્તવમાં તો ચૈત્રને જ પૂછે છે, મૈત્રને નહીં. તેમ ટૂ ધાત્વર્થ જ્ઞાનાનુકૂળવ્યાપાર કરો, તો ચૈત્રને કહેતી વખતે મૈત્રને જ્ઞાન થઈ જાય, તો મૈત્ર પદોત્તર દ્વિતીયાર્થ વૃત્તિત્વ કરીને તેનો અન્વય પણ જ્ઞાનમાં કરી શકાય એટલે મૈત્રે કૂતે પ્રયોગની આપત્તિ આવે.
જ્યારે વાસ્તવમાં ચૈત્રને જ કહે છે, મૈત્રને નહીં. એટલે પ્રર્જી અને ટૂ ધાતુના ઉપર કરેલા અર્થો બરાબર નથી,
૧૧૦.
साक्षाद्धात्वर्थविशेषणज्ञानरूपफलाश्रयतया तत्र गुर्वादीनां प्रधानकर्मतया "अप्रधाने दुहादीनाम्" इत्यनुशासनविरोधेन 'पृच्छ्यते गुरुर्धर्मम्'
વ્યુત્પત્તિવાદ # ૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org