________________
૧૦૬.
'गां व्रजं रुणद्धि' इत्यादौ देशान्तरसंचारविरोधिव्यापारो धात्वर्थः, संचारविरोधित्वं संचारानुत्पादप्रयोजकत्वम्, अनुत्पादे प्रधानकर्मगोवृत्तित्वान्वयः, देशविशेषणे भेदे च ' व्रजम्' इति द्वितीयान्तार्थव्रजप्रतियोगित्वान्वयः । 'रुध्यते गां व्रजः' इत्यादावन्वयबोधः स्वयमूहनीयः ।
નાં ત્રનં સદ્ધિ માં, દેશાન્તરસંચારવિરોધી વ્યાપાર ધાત્વર્થ છે. સંચારવિરોધિત્વ એ સંચાર-અનુત્પાદ-પ્રયોજકત્વ છે. અનુત્પાદમાં પ્રધાન કર્મ ગોવૃત્તિત્વનો અન્વય થશે. દેશના વિશેષણ ભેદમાં ‘વ્રજ્ઞમ્’ એવા દ્વિતીયાંત પદના અર્થ વ્રજપ્રતિયોગિત્વનો અન્વય થશે. ‘રુધ્યતે માં વ્રજ્ઞઃ' વિ. માં અન્વયબોધ સ્વયં વિચારવો.
વિવેચન : ગાયને વ્રજમાં રોકી રાખવાના અર્થમાં માં વ્રનું દ્ધિ પ્રયોગ થાય છે. ત્યાં ધ્ ધાતુનો અર્થ - રોકી રાખવું અર્થાત્ બીજા દેશમાં ન જવા દેવું છે. તે જ દેશાંતરસંચાર વિરોધિત્વ – દેશાંતરસંચારઅનુત્પત્તિ પ્રયોજકત્વ છે. સંચારાનુત્પત્તિ ગાયમાં છે. એટલે ધાત્વર્થતાવચ્છેદક ફળના આશ્રયત્વ રૂપ પ્રધાનકર્મત્વ ગાયમાં આવશે. માટે ગો પદોત્તર દ્વિતીયાનો અર્થ વૃત્તિત્વ કરીને તેનો અન્વય અનુત્પત્તિમાં કરવો. દેશાંતર એટલે ભિન્નદેશ=ભેદવાદેશ... તે ભિન્નતા વ્રજની અપેક્ષાએ છે એટલે વ્રજ પદોત્તર દ્વિતીયાનો અર્થ પ્રતિયોગિત્વ કરીને તેનો અન્વય ભેદમાં કરવો. એટલે ગોવૃત્તિ એવી જે વ્રજપ્રતિયોગિક ભેદવાન દેશકર્મક સંચારાનુત્પત્તિ, તેના પ્રયોજક વ્યાપારાનુકૂલકૃતિમાન્ એવો અર્થ થયો. કર્મણિ સ્થળે, ‘ ુષ્યતે નાં વ્રનઃ' પ્રયોગ થશે. અહીં પણ ગૌણ કર્મ વ્રજને પ્રથમા ‘ઞપ્રધાને..’ સૂત્રથી થાય છે. ત્યાં ધાત્વર્થ, દેશાતરસંચાર વિરોધી વ્યાપાર જ છે. આખ્યાતાર્થ, અનુત્પાદ પ્રતિયોગી ગમનકર્મ દેશ ભેદાશ્રય થશે. ધાત્વર્થનો, જન્યતા સંબંધથી આખ્યાતાર્થમાં અન્વય થશે. એટલે ગોવૃત્તિ - દેશાંતરસંચારાનુત્પાદ પ્રયોજક વ્યાપાર જન્ય - અનુત્પાદ પ્રતિયોગી ગમનકર્મ દેશભિન્નઃ વ્રજ: એવો અર્થ થશે.
-
કર્તાના વ્યાપારથી, ગાયમાં દેશાંતરગમનનો અનુત્પાદ થાય છે. એનો પ્રતિયોગી થશે ગમનક્રિયા, જેનું કર્મ છે વ્રજભિન્ન દેશ. એટલે અનુત્પાદ પ્રતિયોગી ગમન કર્મ દેશનો ભેદ વ્રજમાં રહ્યો છે...
અહીં અનેક પદાર્થો, ધાતુ અને અખ્યાત બંનેથી જણાય છે.
વ્યુત્પત્તિવાદ * ૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org