SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવો પ્રત્યે અંતરમાં પ્રબળ અણગમો હોય તો જ મોક્ષકામના સાચી. છૂટવાની ભાવના વાસ્તવમાં તો જ સાચી, જો બંધાવામાં ભૂલથી, પ્રમાદથી પણ ન પડે. આ વસ્તુસ્થિતિ તું કેમ ભૂલી જાય છે? વત્સ ! હજુ નિસર્ગના કેટલાય મહાન કાર્યો તારા હસ્તે અનામત અકબંધ રહ્યા છે અને તું આ રીતે વાસના-કષાય-અહંકાર વગેરેના વમળમાં ખેંચી જાય તે કેમ ચાલે ? કેટલાયના દિલમાં તને ઊંચું સ્થાન મળેલ છે અને તું આમ નીચ, હલકા ને અધમ માર્ગે જાય તે કેમ ચાલે ? મનને મારા ચરણે ચઢાવ્યા પછી પાછું લેવાય જ કેમ ? તે લીધા વિના આવા હલકા વિકલ્પોને મનમાં સ્થાન જ કેમ હોય? અમથા અમથા કુવિકલ્પોની પાછળ ખોટી થાય તે કેમ ચાલે ? શાણપણ ભરેલી વાતોથી બીજાને ડહાપણ આપનાર તું અણીના અવસરે, પરીક્ષાના સમયે જ ગાંડો થઈ જાય તે તો ચાલે જ કેમ ? હવે ડાહ્યો થઈ જજે હો. રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004964
Book TitleSamvedanni Sargam
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherDivya Darshan Trust
Publication Year1999
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy