SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલરમણતાનો તમાશો છે. મોહનો તમાચો છે. અતૃપ્તિ છે, તૃષ્ણા છે. ૨૨ તરસ છે, તલપ છે, તપારો છે. કેવળ કલેશ ને સંકલેશ છે. એમાં માત્ર નિચોવાઈ જવાનું છે. ભોગસુખની પ્રવૃત્તિ એ પુણ્ય ખરચીને, પાપનું દેવું કરીને, શુદ્ધિ સળગાવીને, જાતને નિચોવીને રાજી થવાનું ગાંડપણ નહિ તો બીજું શું છે ? વાસનાના દાવાનળમાં સેકાઈને-સળગીને રાખ થવા છતાં રાજી થનાર નાદાન જ કહેવાય ને ? રાજી થઈને, સામે ચાલીને મોહરાજાનો તમાચોથપ્પડ-લાફો ખાવા હોંશે હોંશે કેમ દોડે છે ? અંતિમવાદીને પોતાની જાત, વિના કારણે સોંપવામાં સ્વસ્થતા-સલામતી-સમાધિ-શાંતિ કઈ રીતે ? આકાશને બટકાં ભરવાથી શું પેટ કંદ ભરાય ? અકળામણ-ગુંગળામણ ને રીબામણ છે. તો પછી વિજાતીયને વળગવાથી તૃપ્તિ કેમ થાય ? બકરાની દાઢીમાંથી શું પુષ્ટિદાયક દૂધ નીકળે ? શું ઝાંઝવાના જળથી કદાપિ સઘન તૃપ્તિ થાય ? શું સાપના મોઢામાં કદાપિ અમૃતનો વાસ હોય? શું ગટરમાં કયારેય પવિત્રતા હોય ? Jain Education International ઉકરડામાં વળી સુગંધ કયાંથી હોય? કોલસામાં તો ઉજ્જવળતા કયાંથી મળે ? મીઠામાં ખારાશ સિવાય બીજું શું મળે ? બાવળીયાના કાંટા ઉપર પડેલા કેરીના પડછાયાને ખાવાથી, ચાવવાથી, ચૂસવાથી, ચગળવાથી મીઠાશ કઈ રીતે મળે ? વાસ્તવિક આનંદ-શાંતિ મેળવવા સ્મશાનમાં કેમ જવાય ? દીવામાં હોમાવાથી પતંગીયાને સુખ કઈ રીતે મળે ? લવિંગીયા મરચામાં મીઠાશ કઈ રીતે મળે ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004964
Book TitleSamvedanni Sargam
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherDivya Darshan Trust
Publication Year1999
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy