________________
૧૮૫. રાગાદિના ઉદયનો મૂળ હેતુ શું ? ૧૮૬. તેની નિવૃત્તિનો ઉપાય શું ? ૧૮૭. તેની નિવૃત્તિ કેમ થાય ? ૧૮૮. હજુ સુધી તેની નિવૃત્તિ કેમ થઈ નથી ? ૧૮૯. કેવી રીતે થશે ? ૧૯૦. ક્યારે થશે ? ૧૯૧, આત્મા પ્રત્યે જેમ જેમ લાગણી વધે તેમ તેમ કેમ વર્તવું? ૧૯ર. તે માટે શું કરવું ? ૧૯૩. કઈ રીતે કરવું ? ૧૯૪. મારી અંતરંગ રુચિ-વૃત્તિ-દષ્ટિનું સર્વત્ર ઊર્ધીકરણ કરવાનો ઉત્સાહ
ઉમંગ કેમ સતત ટકતો નથી ? ૧૯૫. વર્તમાનનું મારું પરિણમન અને મારા મૂળભૂતસ્વરૂપ વચ્ચે કેટલો
ફેરફાર છે ? ૧૯૬. મારા મૌલિક પરમાનંદમયસ્વભાવને હું કયારે અનુભવીશ ? ૧૯૭. વીતરાગદશા-સિદ્ધ અવસ્થા ઝડપથી પ્રગટે તે માટે સતત સર્વત્ર
સર્વથા તાત્ત્વિક પુરુષાર્થનો ઉત્સાહસભર ઉપાડ કયારે થશે ? ૧૯૮. શાસ્ત્રાભ્યાસ-સાધનામાર્ગ-જિનશાસનનું મારામાં સ્થાયી પરિણમન
કયારે, કેવી રીતે થશે ? ૧૯૯, આત્મસ્મરણ વિના, આત્માનુભવ વિના એક પણ ક્ષણ રહી ન શકાય
તેવી ઉન્નત આત્મદશા કયારે પ્રગટશે ? ). અંતરાત્મા અને પરમાત્મા વચ્ચે રસીલી અભેદઅનુભૂતિ કયારે સ્થિર
અને વિશુદ્ધ થશે ? એવા વિચારો જાગશે તો આત્મા માટે જ બધું કર્તવ્ય લાગશે. આવા ભાવ જાગે તો શાસ્ત્ર ભણવાનો-મેળવવાનો-સાંભળવાનો-પરિણમાવવાનો વાસ્તવિક અધિકાર જાણવો.
આ પ્રકારના આંતર સંશોધનથી સૂતેલો આત્મા જાગૃત થશે. બેભાન આત્મા ભાનમાં આવશે. અજ્ઞાનદશામાં વારંવાર થતી ભૂલો વિરામ પામશે. અંતરમાં જ્ઞાનજ્યોત પ્રગટ થશે. અવચેતન મન નિર્મળ થશે. આગળનો માર્ગ ઓળખાતો જશે. આત્મગગનમાં નિર્ભયતાથી મુક્તપણે ઉડ્ડયન થશે. માટે ઉપલી ભૂમિકામાં પણ આ ઊંડું વેધક આત્મનિરીક્ષણ-નિજભાવપરીક્ષણસ્વદશાઅવલોકન ચૂકતો નહિ.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org