SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪. તો રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પ કેમ મૂકતો નથી? ૧૧૫. તેને મૂકવામાં શું નડે છે ? ૧૧૬. તેને છોડવાનો અભ્યાસ કેમ નથી કરતો ? ૧૧૭. મારો મોક્ષ કયારે થશે ? ૧૧૮. મને કર્મ શા માટે બંધાય છે ? ૧૧૯. કઈ રીતે બંધાય છે ? ૧૨૦. પારમાર્થિક સુખની ભાવના શું ખરેખર અંતરમાં જાગી છે ખરી? ૧૨૧. પારમાર્થિક સુખને શું ઓળખું છું ? ૧૨૨. મારી દિષ્ટ અંતર્મુખ કયારે થશે? ૧૨૩. અંતર્મુખતાની સાચી ગરજ-લગની-ખપ-જરૂરત કયારે જાગશે ? ૧૨૪. આત્મભાવનાનું તાત્ત્વિક સ્વરૂપ શું ? ૧૨૫. આંતર-પરિણામ વૈરાગ્યમય થઈ મોક્ષે લઈ જાય એમ છે કે નહિ? ૧૨૬. વીતરાગનો માર્ગ શું છે ? ૧૨૭. એ મને કેટલો સમજાયો-ગમ્યો અને પરિણમ્યો છે ? ૧૨૮. પ્રભુકૃપાને પાત્ર થવા હું કેમ વર્તે ? ૧૨૯. વીતરાગવચનમાં પરમ આદર-દેઢ શ્રદ્ધા-અવિહડ રાગ હૃદયમાં અચળ કયારે થશે ? ૧૩૦. તેમાં મારી શી કચાશ અને ભૂલ છે ? ૧૩૧. તેનું નિવારણ કઈ રીતે થશે ? ૧૩૨. ખરી મુમુક્ષુતા પ્રગટી છે કે નહિ ? ૧૩૩. મોહનિદ્રામાંથી હજુ સુધી જાગ્યો નહિ તેનું કારણ શું ? ૧૩૪. કઈ રીતે આ અનાદિ સ્વપ્રદશા-મોહદશા-મૂઢદશા દૂર થાય ? ૧૩૫. વિભાવ દશાથી નિવૃત્તિ ક્યારે મળશે ? ૧૩૬. કેવી રીતે મળશે? ૧૩૭. વિભાવ દશામાં શું સુખ દેખાય છે ? ૧૩૮. કેમ ભવભ્રમણના કારણો એકઠા કરી રહ્યો છું ? ૧૩૯. મારું પરભવમાં શું થશે ? ૧૪૦. શું કરવાથી હું સુખી થાઉં ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004964
Book TitleSamvedanni Sargam
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherDivya Darshan Trust
Publication Year1999
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy