________________
૮૯.
૮૭. દેહાદિ બંધન રાખું કે છોડું ? ૮૮. શા માટે ?
શરીરનું નહિ પણ મારું કલ્યાણ કઈ રીતે થાય ? ૯૦. શાથી થાય ? ૯૧. આ વિચાર મને કેટલો આવે છે ? ૯૨. આ ક્ષણે શરીર છૂટી જાય તો મારી શી હાલત થાય ? ૯૩. મારી શી ગતિ થાય ? ૯૪. દેહાધ્યાસ ઉપાધિરૂપ છે-એમ અંદરમાં લાગે છે ? ૯૫. શા માટે દેહસુખ-પ્રમાદસુખ હું ઈચ્છું છું ? ૯૬. દરેક ધર્મક્રિયા કરતી વખતે મન શું કરે છે ? ૯૭. ધર્મક્રિયામાં મન ઠરે છે કે બહાર ભટકે છે ? ૯૮. મનને લીધે શું શું થાય છે ? ૯૯. ઘડી ઘડીમાં મન શું કરે છે ? ૧છે. શું તેની તપાસ થાય છે ? ૧૦૧. મન સ્વછંદ વર્તે છે અને બહારથી મોટી મોટી વાતો કરતાં મને
શરમ કેમ આવતી નથી ? ૧૦૨. શમ-સંવેગાદિ ગુણો મારામાં છે કે નહિ ? ૧૦૩. મારા ભાવ પ્રતિક્ષણ કેવા પ્રકારના થઈ રહ્યા છે ? ૧૦૪. મારે ભાવ કેવા કરવા છે ? ૧૦૫. મારી અંતરંગ વૃત્તિ કેવી છે ? ૧૦૬. કેવી કરવી જોઈએ? ૧૦૭. પરિણામ સંતોષકારક છે કે નહિ ? શા માટે ? ૧૦૮. શું ખામી છે ? ૧૦૯. બધું છોડીને જે માટે આવ્યો છું તે થાય છે કે નહિ ? ૧૧૦. મને તાત્વિક રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગ કયારે મળશે? ૧૧૧. જે કરવા આવ્યો છું તે કરું છું કે બીજું જ કંઈક થાય છે ? ૧૧૨. મોક્ષે શું ખરેખર જવું જ છે ? ૧૧૩. સુખી થવું છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org