SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ સમાવવા પ્રયાસ કરે છે. પરંતુ જ્ઞાતા-દષ્ટ ભાવની સાધનાથી મન પૂર્ણતયા શાંત થઈ જતાં પ્રગટ થયેલ શુદ્ધ આત્મા વાસ્તવમાં નથી નયમાં રહેતો કે નથી પ્રમાણમાં રહેતો. શુદ્ધ પ્રગટ નિર્વિકલ્પ આત્મામાં કોઈ નય કે પ્રમાણ નથી રહેતા કે નથી અનુભવાતા. તથા નૈગમ-વ્યવહાર વગેરે નયને અભિપ્રેત હિરામાં પત્થરની કલ્પના કરવાથી કે ચાંદીમાં છીપની ભ્રમણા થવાથી હિરાને કે ચાંદીને કશું ય નુકશાન થતું નથી. તેમ નૈગમ-વ્યવહાર વગેરે નયની દૃષ્ટિએ સંસારી આત્મામાં અશુદ્ધિ માનવાથી કાંઈ આત્મા અશુદ્ધ થઈ નથી જતો. કોઈ પણ અશુદ્ધિ મૂળભૂત ધ્રુવ આત્માને કદાપિ મલિન કરી શકતી નથી. આત્મા તો સદા નિજ સ્વભાવમાં જ રમે છે, રહે છે. માટે *નય-પ્રમાણની ચર્ચામાં પડ્યા વિના, ખંડન-મંડનમાં શક્તિ વિકૃત કર્યા વગર, વાદ-વિવાદના કાદવથી દૂર રહીને, તમામ નયોના મંતવ્યમાં મધ્યસ્થ-ઉદાસીન બની, જે દૃષ્ટિકોણને ન સમજવાથી, ન સ્વીકારવાથી, અમલમાં ન મૂકવાથી અનંતાઓઘા નિષ્ફળ પ્રાયઃ ગયા તે દુર્લભ અપૂર્વ પારમાર્થિક દૃષ્ટિકોણને પોતાની ભૂમિકા મુજબ જીવનમાં આત્મસાત કરી, શુદ્ધાત્મામાં આસન જમાવી દેવું એ જ તો સત્ય મોક્ષમાર્ગ છે. નયપ્રમાણની કોરી ચર્ચાથી, વિવાદ અને વિતંડાથી કશું થશે નહિ. વાદવિવાદનો કોઈ અંત નથી. શુષ્ક તર્કના જગતમાં તો કેવળ ઘાંચીના બળદની .. प्रमाणनिक्षेपनयाः समेऽपि, स्थिताः पदेऽधः किल वर्तमाने । प्रपश्यतां शांतमनःसमूर्ध्वं, पदं न चैषां कतमोऽपि भाति ।। (अध्यात्मबिन्दु १।१३) .. नात्मनो विकृतिं दत्ते, तदेषा नयकल्पना। शुद्धस्य रजतस्येव, शुक्तिधर्मप्रकल्पना ॥ (अध्यात्मसार १८।११८) 2. ચશ્ય સર્વત્ર સમતા, નપુ તનવર | तस्यानेकान्तवादस्य, क्व न्यूनाधिकशेमुषी ।।(अध्यात्मोपनिषत् ११६१) * નવુ સ્વાર્થસપુ, મોઘપુ પરંપત્તિને | માધ્યચ્યું ઃ નાયાત, ર તા જ્ઞાનર્મિતા | (અધ્યાત્મસાર દારૂ૭) .. निश्चयनयतात्पर्याद् विशेषणहेतुत्वाऽऽवश्यकत्वेनैवोपपत्तौ विशिष्टहेतुत्वकल्पनाऽनौचित्यात् । (સીમાપારી પ્ર વૃત્તિ - મા. 30) २. वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । ___तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद् गतिः ।। ( વન્યુ-૬૭, જ્ઞાનસાર-૪, અધ્યાત્માનવ-શ૭૪) ૨૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004964
Book TitleSamvedanni Sargam
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherDivya Darshan Trust
Publication Year1999
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy