SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ અબંધ દશાની નજીક પહોંચતો જાય છે. વારંવાર શુદ્ધ આત્મસ્વરૂપના શ્રવણ, મનન, સ્મરણ વગેરે દ્વારા આત્મસ્વભાવમાં સતત ટકી રહેવા સ્વરૂપ તીવ્ર જ્ઞાનદશા આત્માને અબંધકદશા સંપ્રાપ્ત કરાવે છે. અબંધદશા પ્રગટ કરવી એ જ તો છે આ સાધનાનું પાંચમું પવિત્ર પ્રયોજન. હે વત્સ ! વિકલ્પાત્મક નિર્ણયમાં પણ નિરંતર દઢતાપૂર્વક સમજવાની એવી આદત પાડવી કે – પ્રશસ્ત કે અપ્રશસ્ત રાગાદિનો તો હું જ્ઞાતા છું જ. પણ મારા સ્વરૂપનો અને મારામાં પ્રગટ થતી શુદ્ધતાનો પણ માત્ર જ્ઞાતા જ છું, કર્તા-ભોક્તા નહિ. કર્તુત્વબુદ્ધિપૂર્વક સ્થાયી શુદ્ધિ પ્રગટાવવાનો મારો અધિકાર છે જ નહિ. શું શુદ્ધતા થવાની ન હતી? સર્વજ્ઞદષ્ટ શુદ્ધતાપર્યાય પણ સ્વકાળે થનાર જ છે. જ્ઞાનસ્વરૂપ એવો હું તેને પણ કેવળ જાણું છું, કરતો નથી. મારા પોતાના કહેવાતા શુદ્ધ અને અશુદ્ધ પર્યાયો પણ સ્વકાળે ક્રમબદ્ધ રીતે, જે રીતે થવાના નિશ્ચિત થઈ ચૂકેલા છે તે મુજબ જ, તે થાય છે, તે થાય જ છે. એટલે પોતાના પર્યાયોને પણ આઘા-પાછા ખસેડવાનું, આડા-અવળા કરવાનું, ઉલટ-પલટ કરવાનું તો રહ્યું જ નહિ. સ્વદ્રવ્યમાં મારો અધિકાર હોવા છતાં માત્ર મધ્યસ્થપણે જાણવાનો જ અધિકાર છે. ઈચ્છા મુજબ પર્યાયની તોડફોડ કરવાનો, પર્યાયની હેરાફેરી કરી પોતાના અભિપ્રાય અનુસાર પર્યાય પલટાવવાનો પણ અધિકાર નથી જ. બાકી તો ક્યારનો હું મોક્ષમાં પહોંચી ગયો હોત. જેમ બીજાના રાગાદિ પરિણામનો હું કર્તા-ભોક્તા નથી તેમ મારામાં પણ તે તે બાહ્ય-આંતર નિમિત્તોને પામીને કર્મવશ થતી પ્રવૃત્તિમાં પ્રગટ થયેલા જે રાગાદિપરિણામો સળવળાટ કરતા જણાય છે તેનો પણ હું કર્તા-ભોક્તા નથી. કેવળ તેને પણ જાણવાવાળો-જોવાવાળો જ છું. મૂઢતા છોડીને સ્વ-પર દ્રવ્યમાં, સ્વ-પરપર્યાયમાં યથાર્થપણે તત્ત્વને સમજવા સિવાય મારો કોઈ પણ અધિકાર ૪ શ્રુત્વ મા મુમૃત્વ, સાક્ષાનુમત્ત છે तत्त्वं न बन्धधीस्तेषामात्माऽबन्धः प्रकाशते ।। (अध्यात्मसार १८।१७७) ૦ વર્ષ તુ ન કર્તવ્ય, જ્ઞાતવ્ય વનં સ્વત: | ફીન થતે તિને ત્વપૂર્વ વિધીતે | (અધ્યાત્મસાર ૧૮૬૨) A. માત્મા ને વ્યાકૃતસ્તંત્ર રામપારાયે સૂઝન્ | तन्निमित्तोपनमेषु, कर्मोपादानकर्मसु । (अध्यात्मसार १८।११४) . રિયદ મૂહર્ષ, નિર્વેદ તત્ત’ | (સમર ફક્યવહૂ-વ-૨-પૃષ્ણ-૬૩, समरादित्यकेवलिनः प्रथमदेशनायां उपदेशारम्भे दृश्यताम्) ૨૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004964
Book TitleSamvedanni Sargam
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherDivya Darshan Trust
Publication Year1999
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy