________________
૪૨ એકવીસ પ્રયોજનગર્ભિત જ્ઞાતા-
દભાવની #ાઘનાની પ્રથા
પરમાત્મા :– વત્સ !
-ત્યાગ-વૈરાગ્ય-સ્વાધ્યાય-કાર્યોત્સર્ગાદિ અનેક પ્રકારની પ્રાથમિક સાધનામાંથી પસાર થઇને ચિત્તશુદ્ધિ મેળવ્યા બાદ, “બહારમાં કયાંય પણ સુખ નથી જ એવો હાર્દિક નિર્ણય કર્યા પછી, ભેદજ્ઞાનનો દઢ અભ્યાસ કર્યા બાદ, શુદ્ધ-શાંત-સ્થિર-ધ્રુવ-પરિપૂર્ણ એવા આત્મસ્વરૂપમાં પૂરેપૂરી સ્થિરતા કરવા માટે આગળની દશામાં પ્રત્યેક ક્ષણે જ્ઞાતા-દૃષ્ટા-ભાવની, અસંગ સાક્ષીભાવની સાધનામાં ઊંડો ઉતરીશ તો ક્ષાયિક પૂર્ણ વીતરાગદશા પ્રાપ્ત થશે.
જ્ઞાતાદૃષ્ટાભાવની સાધનામાં મગ્ન થવા માટે પ્રતિક્ષણ (મગજમાં નહિ પણ) હૃદયમાં એવો (ઉપલક શુષ્ક વિકલ્પાત્મક વિચાર નહિ પણ) દઢ ભાવ રાખજે કે “હું કૃતકૃત્ય છું, “કૃતાર્થ છું, સિદ્ધસ્વરૂપી આત્મા છું, પરિપૂર્ણ છું. સહજ *કૂટસ્થ ધ્રુવ અવિકૃત ચેતન તત્ત્વ છું. પરમ શાંતરસમય છું. અત્યંત. સ્થિર છું. કર્મ વગેરે ઉપાધિથી રહિત છું. પરદ્રવ્યથી અમિશ્રિત છું. જ્ઞાનમય છું. શાશ્વત છું. મૂળભૂત સ્વભાવથી “નિષ્ક્રિય છું. મારે કશું ય કરવું નથી. મારે કશું પણ કરવાનું બાકી રહેતું નથી. ખાવું, પીવું, સુવું, ઉઠવું, બેસવું, બોલવું, વિચારવું વગેરે તમામ ક્રિયા પુદ્ગલની જ થઈ રહેલી છે. હું તેને કરતો નથી કે ભોગવતો નથી. શરીરમાં, વાણીમાં અને મનમાં તે તે ક્રિયા થાય છે અને શરીર વગેરે તે તે ક્રિયાને ભોગવે છે. તેને સાક્ષીભાવે જાણવાની ક્રિયા મારામાં થઈ રહી છે. હું તેને અનુભવી
A. જ્ઞાનિનાં વર્ષોન, પિત્તશુદ્ધિમુવેયુષ | निरवद्यप्रवृत्तीनां, ज्ञानयोगौचिती ततः ।। (अध्यात्मसार १५।२५) जेसो शिवपे तहिं वसे, तेसो या तनमांहि; निश्चयदृष्टि निहारतां, फेर रंच कछु नांहि । (परमात्मछत्रीसी १५) है. सहजं अविकृतं आत्मस्वरूपं कूटस्थस्वभावलक्षणं भावयितव्यं - ध्यातव्यम् ।
(3પરેશચ ના. ૮ વૃત્તિ) *. शान्तं शाश्वतमक्रियं निरुपधि द्रव्यान्तराऽसङ्गतम् ।
વિઘ પ્રોસા પરતં તત્ત્વ તહેવાડ ” || (૩થ્યાત્મિવિખ્યું શરૂ?) 2. कर्तृत्वं परभावानामसौ नाभ्युपगच्छति । દ્વિયં હિં નૈવસ્થ, દ્રવ્યચમિમાં નિને || (અધ્યાત્મિસાર ૧૮૬૮)
૨૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org