SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ મૂકાયો છું. મારા ચૈતન્યકુવેથી દેહાદિ બધા પોતપોતાની પસંદગી મુજબ, જોઈએ તેટલું, ઈચ્છે તેટલું પાણી ભરે જ રાખે. ને હું સાવ જ તરસ્યો મરું ! કામ-ક્રોધાદિ આંતરિક બંધનોમાં થતી એકાકારતા-આત્માકારતાથી છૂટા પડવાનું મારું અંગત કાર્ય છોડીને દેહદિના કામમાં હું કેમ ભળી જાઉં છું’? રાગાદિ વિભાવ પરિણામમાં ગરકાવ શા માટે થાઉં છું? દેહાદિમાં મારું સ્વામિત્વ, રાગાદિમાં મારું અસ્તિત્વ, સંકલ્પ-વિકલ્પ વગેરેમાં કર્તુત્વ અંદરમાં સતત ભાળ્યા જ કરું છું. વિભાવ પરિણામોની વણઝારમાં એકતાની પ્રતીતિ કેમ થાય છે ? સ્વાનુભૂતિ તો ઠિક પરંતુ આત્મસ્મરણ પણ કેમ સતત થતું નથી ? દેહજગતને, ઈન્દ્રિયજગતને, વિભાવજગતને જાણવાના અવસરે જાણનારને સાવ ભૂલી જાઉં છું. દીનદયાળ ! આ હાલતમાં મારે શું કરવું ? એની કાંઈ સમજ જ પડતી નથી. મારા કર્તવ્યની કાંઈક સાચી સમજ આપવાની ઉદારતા તો કરો. કરુણા કરીને માર્ગ બતાવો દીનાનાથ ! ૧૯૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004964
Book TitleSamvedanni Sargam
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherDivya Darshan Trust
Publication Year1999
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy