SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧. વિદ્વત્તામાં અટવાઈ જવાને બદલે યથાર્થ આત્મરુચિ-આત્મગુણરુચિ ઊભી કરવી. ૩૨. *પરિણામને કયાંય ભટકવા દીધા વિના એક માત્ર ચૈતન્યમય આત્મસ્વરૂપમાં જ વારંવાર સમજણપૂર્વક-રુચિપૂર્વક જોડવા. ૩૩. એક ક્ષણ પણ આત્મલક્ષ-આત્મપ્રતીતિ વિના ચેન ન પડે તેવી આત્મચિ કેળવવી. ૩૪. શુદ્ધાત્મા ક્યારે પ્રગટે ? કેવી રીતે પ્રગટે ? એ જ મુખ્ય ધ્યેય અને લક્ષ બનાવવું. ૩૫. અદશ્ય આત્માને દશ્યમાન બનાવવા માટે દૃષ્ટિને દશ્યના આકર્ષણથી બચાવવી. ૩૬. સાત્ત્વિક વૃત્તિથી નિશ્ચય નયના તત્ત્વને સારી રીતે ઓળખીને, હૃદયથી સ્વીકારીને, દિલમાં દઢ કરીને તમામ અદશ્ય પદાર્થમાં ઈષ્ટ-અનિષ્ટ કલ્પનાથી દૂર રહેવું એ અંતરંગ આત્મપુરુષાર્થ. ૩૭. મૂઢ થયા વિના દેહાદિમય સંસારમાં રહેવા છતાં પણ *કર્મોદયના ધક્કાથી ઊભી થતી ઈષ્ટ-અનિષ્ટપણાની કલ્પનાને સમભાવથી જોવાની સ્વતંત્રતા ગુમાવી ન દેવી. ૩૮. સર્વત્ર સર્વદા માન્યતામાં કર્મથી સર્વથા સ્વતંત્રતા અને સભાનતા પ્રગટ કરી, ટકાવી, નિર્બાન્તપણે આત્મસ્વરૂપનું ભાવન કરવું. ૩૯. બધે જ, દેહ-ઈન્દ્રિય-મન વગેરેથી ભિન્ન એવા આત્માને શોધી કાઢી તેમાં આત્મભાવે રમવું એ જ અંતરંગ ધર્મપુરૂષાર્થ. ૪૦. બધા પ્રસંગોમાં વિભાવ-વિકલ્પ-વિકારોથી આત્માને અલગ તારવી ઊંચો લાવવો અને આનંદમય આત્મસ્વરૂપમાં સદા જામી જવું. ૪૧. સર્વ પ્રસંગમાં પ્રતિક્ષણ આત્માને જ મુખ્ય રાખવો, આગળ ધરવો, લક્ષગત કરવો, કયાંય ભૂલવો નહિ. *. चिन्मात्रनिर्भरनिवेशितपक्षपात: (अध्यात्मउपनिषद् २।५९) A. વેદ વરસ્ય વૃત્તાન્ત, મૂત્થરથરોપમાં | उत्साहः स्वगुणाभ्यासे, दुःस्थस्येव धनार्जने ॥ (अध्यात्मसार ६४१) .. इष्टानिष्टेषु भावेषु, सदा व्यग्रं मनो मुनिः । सम्यनिश्चयतत्त्वज्ञः, स्थिरीकुर्वीत सात्त्विकः ।। (योगसार ५१२) 7પશ્યન્નેવ દ્રવ્ય-નાટ પ્રતિવાદમ્ | મવેવપુરસ્થોડપ, નામૂહ: પરબ્રેિદ્યતે || (જ્ઞાનસાર કાજ) ૧૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004964
Book TitleSamvedanni Sargam
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherDivya Darshan Trust
Publication Year1999
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy