SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પણ જે શુદ્ધ ચૈતન્યમાં પોતાનું અસ્તિત્વ સ્પષ્ટપણે પકડે, શુદ્ધ ચૈતન્યમય સ્વભાવ જાણે-જુએ-અનુભવે તેને* તે પ્રવૃત્તિ કર્મબંધ કરાવી ન શકે. ઊલટું તે સમયે નિજાનંદ-શુદ્ધાનંદ-સહજાનંદ અંદરમાંથી સતત પ્રગટે છે, બરફમાંથી ઠંડક સતત નીકળ્યા કરે છે તેમ. અંદર શુદ્ધ ચૈતન્યસ્વભાવને સ્પર્શીને, ચૈતન્યસ્વરૂપમાં પરિણમીને જે આનંદનો અનુભવ થાય છે, શાન્તિનું સંવેદન થાય છે તે ખરેખર અપૂર્વ જ હોય છે. આકુળતા વગરનું, દુ:ખશૂન્ય જે આત્મતત્ત્વ છે તેને શોધવાનો પ્રયત્ન કરતાં કરતાં કષાયની મંદતા થવાના લીધે જે આનંદ અનુભવાય છે તે પણ કષાયમિશ્રિત હોવાથી પરમાર્થથી આકુળતાસ્વરૂપ જ છે, તેનાથી પણ આત્મા ભિન્ન જ છે- એમ આત્મજ્ઞાનની ભૂમિકામાં દઢ રીતે પકડી રાખીશ તો જીવંત ભેદજ્ઞાનનો પુરુષાર્થ મંદ નહિ પડતાં ક્ષપક શ્રેણીના દ્વાર સુધી તને તે પહોંચાડી દેશે. લાયોપથમિક જ્ઞાન-દર્શન વગેરે પણ તારું મૂળભૂત સ્વરૂપ નથી. તેમાં તારું સમગ્ર અસ્તિત્વ-તાદાભ્ય નથી. જેમ કરોડપતિ પાસે લાખ રૂપિયા હોવા છતાં તે લાખોપતિની હરોળમાં બેસવાના બદલે કરોડપતિની પંક્તિમાં બેસે છે. લાખોપતિ કરતાં તે પોતાની જાતને જુદી માને છે. તેમ લાયોપથમિક એવા જ્ઞાન-દર્શન-ક્ષમા વગેરે ગુણોનો અનુભવ થવા છતાં પણ એને તારું મૌલિક સ્વરૂપ સમજવાના બદલે તારાથી અલગ સમજજે. તારું તાદાભ્ય તેમાં સ્થાપિત કરવાના બદલે ધ્રુવ શુદ્ધ પૂર્ણ અખંડ ચૈતન્યસ્વરૂપમાં તારા અસ્તિત્વનો અનુભવ કરવા તત્પર રહેજે. જીવસ્થાન, યોગસ્થાન, અધ્યવસાયસ્થાન, ગુણસ્થાન, માર્ગણાસ્થાન વગેરેથી તું સાવ નિરાળો છે. તેમાં તારો કાયમી વસવાટ નથી. કર્મસાપેક્ષ આ દશા તારું મૌલિક વાસ્તવિક સ્વરૂપ નથી. આ રીતે અંતરમાં ભેદજ્ઞાનની પરિણતિથી નિરંતર ભાવિત થઈશ મવે ચર્ચા વિચ્છિન્ના, પ્રવૃત્તિઃ માવના | रतिस्तस्य विरक्तस्य, सर्वत्र शुभवेद्यतः ॥ (अध्यात्मसार - ५।१४) A મધ્યાત્મોપનિષ-૨/૨૮ कर्मोपाधिकृतान् भावान् य आत्मन्यध्यवस्यति । तेन स्वाभाविकं रूपं न बुद्धं परमात्मनः ।। (अध्यात्मोपनिषद्-२/२९) चउहि ठाणेहिं निग्गंथाण वा निग्गंथीण वा अतिसेसे णाण-दंसणे समुप्पज्जिउकामे સમુમ્બન્નેના | તં નહીં.... વિવેન વિરસોઈ સમ્મમાં માતા મત .... (થાનાં સૂત્ર-જીરીર૮૪) ૧૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004964
Book TitleSamvedanni Sargam
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherDivya Darshan Trust
Publication Year1999
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy