SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ અનિવાર્ય એવા સર્વઘાતિ દર્શનાવરણના ઉદયથી મારી ચેતના મહારાણી મૂકાયેલ છે. પુરુષાર્થથી કે બુદ્ધિ દ્વારા દૂર નિવારી ન શકાય તેવી આ પરિસ્થિતિને રાજા એવો હું ઉદાસીન ભાવે માત્ર જાણી રહ્યો છું. તેમાં ભળવું, રાજી થવું એ મારું કામ નથી. આ ઉપાધિ ન આવી હોત તો હું મારી ચેતના મહારાણી સાથે નિજગૃહમાં કેવી મસ્તી કરતો હોત? પણ આમાં મારે ખોટી થવું પડે છે. તેટલો મારો અમૂલ્ય સમય નિરર્થક બરબાદ થાય છે. પણ શું હમણાં ને હમણાં જ શરીરને સૂવડાવવામાં મારી ચેતનાને જોડવી જરૂરી છે? શું દશ-પંદર મિનિટ મોડું કરું તો નહિ ચાલે? કાયાદાસીના કામમાં મારી ચેતના મહારાણીને જોડવાની આટલી ઉતાવળ શું છે ? એવી ઉતાવળ કરવામાં મને તો નુકશાન જ છે ને ? લાવ થોડી વાર પ્રભુભક્તિમાં, જિનવચનસ્મૃતિમાં, સ્વરૂપાનુસંધાનમાં જોડવા દ્વારા ચેતનાને મારી પાસે રાખું. થાકેલી-રીસાયેલી કાયા આડી પડે તો ય ચેતનાને પ્રભુસ્મરણમાં, શાસ્ત્રના પુનરાવર્તનમાં જોડી રાખું. આમ પણ કાયાદાસી તો ધર્મસાધન જ છે ને ! ચેતનારાણીએ ભલે કાયાદાસીને વચન આપ્યું હોય. મેં (આત્માએ) તો તેને વચન નથી આપ્યું ને ! શું તાકાત છે કાયાદાસીની કે મારી સામે એ માથું ઊંચકી શકે કે મને બાંધી શકે ? -કાયાને નિદ્રાધીન કરાવવામાં કર્મવશ ચેતના ધકેલાય તો પણ અબંધદશા પ્રગટ કરવા દ્વારા ૪-૫-૬-૭ ગુણસ્થાનકે ટકી રહેવાનો અપ્રમત્ત પુરુષાર્થ અસંગ જાગૃતભાવે મારે ચાલુ જ રાખવાનો છે. નિદ્રાની અસરમાં મારે આવવાનું નથી. કારણ કે શરીરની નિદ્રાપ્રવૃત્તિથી હું તો જુદો જ છું ને! તેમાં ભળી ન જવાય તે માટે મારે તો સદા સાવધાન જ રહેવાનું છે. કારણ કે *આત્મા જાગે, જે આત્મામાં જાગે આત્મા વડે જાગે, આત્માને જગાડે, આત્મા માટે જ જાગે તેની કાયા, ઈન્દ્રિય, મન વગેરે બધું જ સૂઈ જાય છે, તે સ્વયં બહારમાં મરી જાય છે અને તેની વિવેકવિહીન મ પુરુષારેખ સાર્થો સપા ર | તત્તે સૈવમેવેદ વનિમ્યો વવેત્તરમ્ | (યોગશાસ્ત્ર ૨/રૂ-વૃત્તિ-૪૭) विषयाणां ततो बन्धजनने नियमोऽस्ति न । અજ્ઞાતિનાં તતો વળ્યો, જ્ઞાતિનાં તું વર્લ્ડવત્ | (ધ્યાત્મિસાર - ર૪) સુત્તા ઉમુ, મુનિનો સયા જ્ઞાતિ | (સવાર-શરૂા?) है. आत्मन्येवात्मनः कुर्यात् यः षट्कारकसङ्गतिम् । વડવિવેશ્વરસ્યાસ્ય વૈષચ્ચે કમળનીતું છે (જ્ઞાનસાર-૨૧/૭) ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004964
Book TitleSamvedanni Sargam
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherDivya Darshan Trust
Publication Year1999
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy