SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ દા.ત. ૧ ભૂમિ ઉપર ઘડો સંયોગસમ્બન્ધથી રહે છે. ૨. ઘડામાં ઘડો તાદાભ્યસમ્બન્ધથી રહે છે. ૩. માટી (કપાલ)માં ઘડો સમવાયસમ્બન્ધથી રહે છે. હવે એમ કહી શકાય કે ભૂતલમાં સંયોગસમ્બન્ધથી ઘડો છે. પણ સમવાયસમ્બન્ધથી નથી વગેરે. સંયોગ ઘટ ભૂતલ સંયોગ જે સમ્બન્ધથી પદાર્થ વિવક્ષિત આધારમાં ન રહે તે સમ્બન્ધ અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક બને. દા.ત. ભૂતલમાં જ્યારે એક પણ ઘડો સંયોગસમ્બન્ધથી ન હોય ત્યારે ભૂતલનિષ્ઠાભાવનો પ્રતિયોગી ઘટ બનશે. ઘનિષ્ઠપ્રતિયોગિતાનો અવચ્છેદક સમ્બન્ધ સંયોગ બનશે. એટલે એમ કહી શકાય કે સંયોખ્રિસ્થાછિન્નप्रतियोगिताकः भूतलनिष्ठः घटाभावः अथवा भूतलनिष्ठघटाभावीयप्रतियोगितावच्छेदकः संयोगः સમ્બન્ધની અવચ્છેદકતાનું મહત્ત્વ નીચે પ્રમાણે સમજવું જોઈએ. પર્વતો વહિમાનું ધૂમાતુ આવી પ્રતિજ્ઞામાં ધૂમહેતુ એ સહેતુ છે. છતાં કોઈ અવચ્છેદકસમ્બન્ધનો ભેદ કરીને વ્યભિચાર (=અર્નકાન્તિક) દોષ બતાવી શકે છે. કઈ રીતે? જુઓ... પર્વતમાં અગ્નિ હોય તો સંયોગસમ્બન્ધથી હોય પણ સમવાયસમ્બન્ધથી તો ન જ હોય. સમવાયસમ્બન્ધથી તો અગ્નિ પોતાના જ્વાલા વ. અવયવોમાં રહી શકે છે નહિ કે પર્વતમાં, એટલે સમવાયસમ્બન્ધથી અગ્નિનું નાસ્તિત્વ અર્થાત્ અગ્નિનો અભાવ પર્વતમાં રહી જશે. આ રીતે સાધ્યભૂત અગ્નિનો અભાવ પર્વતમાં રહી ગયો. અને ત્યાં ધૂમહેતુ વૃત્તિ છે તેથી અનૈકાન્તિક દોષ ઘુસી ગયો. હવે સહેતુને આવા પ્રપંચીદોષથી બચાવવો હોય તો શું કહેવાય તે જુઓ..પ્રતિજ્ઞા કરનારને પર્વતમાં અગ્નિ સમવાસમ્બન્ધથી સિદ્ધ કરવો નથી પરન્તુ સંયોગસમ્બન્ધથી અગ્નિ સાધ્ય છે. - પર્વતમાં ગમે તે સમ્બન્ધથી અગ્નિ સાધ્ય નથી. ફક્ત સંયોગસમ્બન્ધથી જ સાધ્ય છે. અર્થાત્ અગ્નિમાં રહેલી સાધ્યતાઉપર સંયોગસમ્બન્ધનું નિયંત્રણ છે. ૧૧૬ રે 8 £gકે કે દર ૪ ૪૪ ૪૪ ફરે છે કે રે ? 8 8 8 8 8 8 જીત છે કે કાર ? $3 (68 જેટ છેને ઉછે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy