________________
૬૯
પ્રશસ્તનો રાગ જમાવ્યે જવામાં તો પછી રાગ જામ્યો, તો વીતરાગ કેમ બની શકાય ?
આનો ઉત્તર સરળ છે. પહેલું આ સમજી રાખો કે,
અપ્રશસ્તનો રાગ સંસાર માટે એટલે કે બંધન માટે છે, ત્યારે પ્રશસ્તનો રાગ મોક્ષ માટે છે.
માણસને ઘ૨ કેમ ગમે છે ? સંસારમાં બંધાયા રહેવા માટે. પણ મંદિર કેમ ગમે છે ? સંસારના બંધન તૂટી મોક્ષ મળે એ માટે, એટલે હવે પ્રશસ્તનો રાગ ક૨શે એમાં લક્ષ્ય મોક્ષનું છે. અર્થાત્ બંધનથી છૂટવાનું છે. એટલે હવે સ્પષ્ટ છે કે જેમ જેમ પ્રશસ્તનો રાગ વધતો જશે, તેમ તેમ મોક્ષનું લક્ષ્ય વધુને વધુ ઘનિષ્ઠ યાને દ્રઢ ને સતેજ બનતું જશે. તે એક દિવસ એવો આવશે કે જ્યારે મોક્ષનું લક્ષ્ય એટલે કે બંધનથી આસક્તિથી છૂટવાનું લક્ષ્ય મનમાં ઉત્કૃષ્ટ કોટિએ પહોંચી જતાં આસક્તિ માત્ર છૂટી જશે. ત્યાં પ્રશસ્તના રાગ પણ સહેજે ઓસરી જવાના. આમ પ્રશસ્ત રાગનો જે ઉદ્દેશ, બંધનથી મૂક્તિ, એ ઉદ્દેશ ઉત્કૃષ્ટ (દ્દઢ) થતાં આસકિત માત્ર ટળી જવાથી વીતરાગ બનાય છે. એટલે એ રાગની વૃદ્ધિ વીતરાગને નિકટ કરે છે.
દુનિયાના શેઠ તો રીઝે, પણ ભગવાન તો વીતરાગ છે, ને મોક્ષમાં ૭૦ અક્રિય થઇને બેઠા છે. એ શાના રીઝે ? ગૌતમને ભગવાન પર રીઝ હતી, પણ ભગવાનને ગૌતમ પર ક્યાં રીઝ હતી ? ‘રીઝ્યો સાહિબ સંગ ન પરિહરે’ એમ કેમ કહ્યું ? કવિઓ અને ભક્તો ભગવાનને રીઝ્યો કેમ પ્રયત્ન કરે છે ? કેમ પ્રાર્થા કરે છે ?
કવિઓ પ્રભુને એટલા માટે પ્રાર્થે છે કે ભગવાન જો રીઝી જાય તો કામ થઇ જાય. પણ આ લોકોત્તર શાસન છે, એની રીઝ જુદી જાતની છે. અહીં લોકોત્તર શાસનમાં ભગવાનની રીઝ એટલે ભગવાનના જ્ઞાનમાં આપણી યોગ્યતા દેખાય તે. દા.તા. જેમ દુકાનમાં પાંચ નોકર હોય, એમાં ૪ નોકર લોભિયા હોય એટલે શેઠની પાસે અવારનવાર પગાર વધા૨વાની ને બોનસની માગણી કર્યા કરતા હોય, જ્યારે
Jain Education International
૮૭
For Private & Personal Use Only
www.jainelibrary.org