________________
તપ છે, તેમજ અનુપ્રેક્ષા સ્વાધ્યાય રૂપી આભ્યન્તર તપ છે, તેથી કર્મની નિર્જરા થાય એ સહજ છે.
કર્મસંયોગ ભલે અનાદિથી ચાલુ છે, પરંતુ તે તો પ્રવાહથી અનાદિ છે, બાકી તો આત્મા પર કોઇ કર્મ અનાદિના ચોંટેલા હોતા નથી જ. દરેક કર્મ નવાં જ ચોંટે છે, નવાં જ બંધાય છે, ને એ ઉદય પામતાં ભોગવાઇને નષ્ટ થાય છે. એટલે છેલ્લે અયોગ અવસ્થામાં યોગ નથી એટલે નવાં કર્મ બાંધવાના જ નથી, અને જુનાં કર્મ બધાં જ ભોગવાઇ જઇ નષ્ટ થવાનાં છે, તેથી હવે કર્મસંયોગ સર્વથા નષ્ટ થયો કહેવાય. પરંતુ તથાભવ્યત્વ તો કર્મસંયોગની જેમ પ્રવાહથી અનાદિનું નથી, કિન્તુ આત્માના અનાદિ સ્વભાવરૂપ છે, તો જેમ જ્ઞાન, જીવત્વ વગેરે આત્માના અનાદિ સ્વભાવરૂપ હોઇ એનો મોક્ષમાં નાશ થતો નથી, તો પછી આત્માના અનાદિ સ્વભાવ રૂપ આ તથા ભવ્યત્વનો નાશ કેમ થાય ?
૬૮
અહીં બંને વચ્ચે ફરક સમજવાનો છે, જ્ઞાન, જીવત્વ વગેરે એ યોગ્યતારૂપ નથી, કિન્તુ આત્માનું સ્વરૂપ છે, જ્યારે ભવ્યત્વ તથાભવ્યત્વ એ મોક્ષ પામવાની યોગ્યતારૂપ છે. જેમ કાષ્ઠામાંથી કે પાષાણમાંથી શિલ્પી પ્રતિમા બનાવે છે, ત્યાં પહેલાં એ કાષ્ઠ કે પાષાણમાં પ્રતિમા બનવાની યોગ્યતા જુએ છે. જો યોગ્યતા જુએ તો જ એના પર ઓજાર લગાવી એને ઘડી ઘડીને પ્રતિમા બનાવી શકે છે. જ્યારે કાષ્ઠ કે પાષાણ પ્રતિમારૂપ બની ગયા પછી એમાં કાંઇ પ્રતિમા બનવાની યોગ્યતા નથી કહેવાતી. પૂરી પ્રતિમા બની ગઇ એ કાષ્ઠમય કે પાષાણમય હોવા છતાં હવે એમ નથી કહેવાતું કે આ કાષ્ઠ કે પાષાણમાં પ્રતિમા બનવાની યોગ્યતા છે, કેમકે હવે કાંઇ એના પર ઓજાર પ્રયોગથી બીજી નવી પ્રતિમા ઘડી શકાતી નથી, ઘડી શકાય એવું રહ્યું નથી. એ સૂચવે છે કે પ્રતિમા બની ગઇ પછી એનામાં હવે પ્રતિમા બનવાની યોગ્યતા નથી, યોગ્યતા નષ્ટ થઇ ગઇ.
1 }
Jain Education International
૮૬
For Private & Personal Use Only
www.jainelibrary.org