________________
પૂજનારા બધા જ મૂર્ણ ન્હોતા.
(૬) ગુરૂના ફોટા તરફ આદર થાય છે તો પ્રભુ-મૂર્તિ પર કેમ નહિ ? પંજાબમાં દયાનંદના આર્યસમાજ ધર્મનો પ્રચારક કહે, - “મૂર્તિ તો પત્થર છે, મૂર્ખાઓ એને જ ભગવાન માની બેઠા...” વગેરે ભાષણ કરતાં. એક જણા દયાનંદના ફોટા પર થુંકવાનું ને લાતાલાતી કરવાનું કરતાં, એ વિરોધ કરતા જતાં ઝંખવાણો પડી ગયો. એની હુરિયા બોલાય.
(૭) આજે પણ મૂર્તિપૂજાના પ્રભાવ દેખાય છે, - શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિની પ્રભુ તરીકે આદર પૂજાના ચમત્કાર દેખાય છે. ગઇ ચોવીસીમાં આષાઢી શ્રાવકે ભવિષ્યમાં પોતે પાર્શ્વપ્રભુના ગણધર થઇ મોક્ષ પામશે એમ સાંભળી પાર્શ્વપ્રભુની મૂર્તિ ભરાવી. તે જ આજે શંખેશ્વર પાર્શ્વનાથ છે. એના સ્નાત્ર-જલથી કૃષ્ણની મૂર્ણિત સેના જાગ્રત થઇ ગયેલી.
(૮) જનમથી ભોયરામાં જ ઊછરેલ, જેણા સાચી નહિ પણ પત્થરની ય ગાય નહિ જોયેલ. તે મોટો થતાં બહાર જંગલમાં મુકાયો. ત્યાં સાચી ગાય છતાં ભૂખે મરે. પરંતુ જેણે ભોયરામાં પત્થરની ગાય જોઇ, ઓળખી છે, એ હવે ગાયને જોઇ સાચી ગાયને દોહી દૂધ પી શકે.
(૯) રાષ્ટ્રધ્વજ લુગડાનો છતાં એની રાષ્ટ્ર તરીકે પૂજા થાય છે. સારાંશ, પ્રભુની મૂર્તિ પણ પ્રભુ જ છે, પૂજ્ય જ છે.
પરિણામે બંધ' ના હિસાબે તો શુભ અધ્યવસાયથી શુભ કર્મ બંધાય. થિી પરંતુ અશુભ કર્મનો ક્ષય પણ થાય ખરો? શી રીતે થાય?
કર્મક્ષય આ રીતે, કે શુભ અધ્યવસાયમાં ત્રણ તત્ત્વ છે,-આશ્રવ, સંવર અને નિર્જરા (૧) શુભ અધ્યવસાયમાં શુભ મનોયોગ છે,
અને યોગ એ આશ્રવ છે, આશ્રવથી કર્મબંધ થાય, એ હિસાબે શુભ મનોયોગથી શુભ કર્મ બંધાય. (૨) શુભ મનોયોગથી અશુભ મનોયોગઆશ્રવનો નિરોધ થાય તેથી અશુભ કર્મ બંધાતા અટકે, તેમજ (૩) શુભ અધ્યવસાય એ અશુભ મનોવૃત્તિનો સંક્ષેપ, તથા મનની સલીનતારૂપ બાહ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org